________________
૪૧૮. સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
988 પછી પણ લૂંટ ચલાવતા હતા. ચોર અને માંસાહારી હતા. પણ આદ્રકુમાર મળતાં એમને એ લોકોએ પૂછયું કે-“અમારું હવે શું થાય ? આદ્રકુમારે કહ્યું કેધારો તો મારા જેવા થઈ શકો છો, આ સાંભળીને પાંચસો જણાએ તરત દીક્ષા લીધી અને આદ્રકુમારે આપી.
પ્રભવસ્વામી કોણ હતા ? એ પણ પ્રભુશાસનના શીરતાજ બન્યા. પણ પૂર્વે માત્ર ચોર નહિ પણ ચોરોના સરદાર હતા. જંબૂકુમારનું ઘર ફાડવા આવ્યા હતા. બધું જ લઈ જવું હતું. એ જેવા તેવા ચોર ન હતા. વિદ્યાસિદ્ધ ચોર હતા. શ્રીમંતોને જ લૂંટનારા હતા. પાંચસો ચોરોના માલિક હતા. પણ એ ક્યાં સુધી ? જંબુસ્વામીના ઘરમાં પેઠા ત્યાં સુધી, પછી બધું ફરી ગયું. દીક્ષા લીધી. જંબુસ્વામીની પાટે આવ્યા. ચૌદપૂર્વી થયા. શ્રુતકેવલી કહેવાયા. :
શયંભવસૂરિજી કેવા ? વેશ્યાને ત્યાં બાર વર્ષ રહ્યા પણ પછી ?ચૌદપૂર્વી થયા.
ચોર, લૂંટારા, વેશ્યાગામી એ બધાને દીક્ષા અપાય ? કહો કે પરિણામ પલટાયા પછી અપાય. જો ન અપાય તો આ દષ્ટાંતો કેવી રીતે બન્યાં ? મેં દીક્ષા કોને આપી છે અને કોને આપું ?
સભા: “જેણે દીક્ષા લેવી હોય તેણે બાર વર્ષ વેશ્યાને ત્યાં રહેવું જોઈએ કે
આ વળી નવો કાયદો ! પરમ દિવસે મેં પૂર્વપક્ષ કહ્યો હતો કે આજે સ્ટેજ ધ્રુજાવનારા કહે છે કે-“અત્યારે બેકારી વધી છે માટે ધર્મને હમણાં આઘો મૂકો.” આ કોના શબ્દો હતા ? સ્ટેજ પર ચઢીને બોલનારાના અને તેનો તે વખતે રદિયો આપ્યો હતો. પણ તે તે દિવસે તેમાંના કેટલાક નામદારો આવેલા તે અધૂરું સાંભળીને અગર અધૂરા આધારે બહાર બોલવા લાગ્યા કે- હવે મહારાજ ઠેકાણે આવ્યા, છ મહિના ન માન્યું, પણ હવે ઠોકર ખાઈને ઠેકાણે આવ્યા. જુવાનીના મદમાં કોઈનું ન સાંભળે પણ આખરે ખત્તાં ખાઈને ઠેકાણે આવે.” આવા મૂર્ખાઓ સુધારકોના પ્રતિનિધિ બનીને સાંભળવા આવે ત્યાં થાય શું?
આજે તો તમે આટલા સાંભળવા આવો છો પણ સમય એવો પણ આવે કે બધાને આ વાત ન રૂચે અને ન પણ આવે, તો તે વખતે હું આ સાધુઓને સંભળાવીશ અને એમને પણ નહિ રૂચે ત્યારે આ દીવાલોને સંભળાવીશ, પણ બોલીશ તો આ જ; બીજું ક્યારે પણ નહિ. જો કે મને વિશ્વાસ છે કે સાંભળનારા ઘટવાના જ નથી. ઘટે શાના ? ભગવાનની કહેલી સારી અને