________________
૪૨૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
- 998 ટીકા-ટિપ્પણ ન કરી. કેમકે, “દુનિયાદારીનું ગમે તેટલું ભણેલા એ બિચારાને વસ્તુનું વાસ્તવિક જ્ઞાન ક્યાં છે ?' એવું આ શાસ્ત્રકાર જાણતા હતા. જ્યારે એ અગિયારેય ભગવાન પાસે આવ્યા, ભગવાનને મળ્યા, શંકાથી વિરામ પામ્યા, વસ્તુનું જ્ઞાન પામ્યા, ભગવાનનું શરણું સ્વીકાર્યું, ઉપન્નઈ વા-વિગમેઈ વાધુવેઈ વા-એ ત્રિપદી પામી દ્વાદશાંગી રચી, ત્યારે એમને જ, એ જ શાસ્ત્રકારે સમ્યગ્દષ્ટિ અને જ્ઞાની કહ્યા. સમ્યગ્દર્શન વિનાના ગમે તેવું ભણેલાને પણ આ શાસ્ત્રકાર અજ્ઞાની કહે છે. મુનિપણું, સંસાર ત્યજે ત્યારે આવે અને સમ્યગ્દર્શન સંસાર ન ગમે, ત્યારે આવે ? સભાઃ “સમ્યગ્દર્શન સંસાર ન ગમે તો જ આવે કે સંસારને સામે ન માને તોયે
આવે ?' શાસ્ત્રકાર ભગવતે શું કહ્યું ? નવો જ રમતે “સંસારસાગરમાં ન રમેકોણ ન રમે ? સંસાર ગમે તે ન રમે ? કે સંસાર ન ગમે તે ન રમે ? જેને સંસાર ગમે તે સંસારમાં રમ્યા વિના રહે ? અને જેને સંસાર ન ગમે તે સંસારસાગરમાં કેમ રમે ? ઝેરને પ્રાણનાશક માન્યા પછી કોઈ ખાય છે ખરો ? દૂધનો કટોરો, કેસર કસ્તૂરી એલાયચી પિસ્તાં જાયફળ વગેરે મસાલાથી ભરપૂર, કઢેલા અને સુગંધી દૂધનો કટોરો હાથમાં લઈ પીવા માટે મ્હોં સુધી લઈ ગયા, હોઠે અડાડ્યો અને કોઈએ કહ્યું કે એમાં ઝેર છે તો તરત હાથમાંથી ગબડી જાય ? એને મૂકી દેવો ન પડે પણ એની મેળાએ જ પડી જાય ને ? કેમ ? માન્યું છે કે “વિષે પ્રાનાશવમ્' - “વિષ પ્રાણનો નાશ કરનાર છે.” -
જે એવો દાવો કરે કે-મને સમ્યગ્દર્શન થયું છે, તત્ત્વની શ્રદ્ધાથી હું પવિત્ર થયો છું, તો તેને પૂછો કે તને સંસાર ગમે છે ? જો એ “હા” કહે તો તેને કહી ઘો કે તારામાં સમ્યગ્દર્શનનાં ફાંફાં છે. સમ્યગ્દર્શન રસ્તામાં નથી પડ્યું કે એમ આવી જાય. જ્ઞાન, દર્શન, ચારિત્રનો પરસ્પર સંબંધઃ
ઘણા કહે છે કે તત્ત્વ સમજ્યા પછી ગમે તેમ વર્તવામાં હરકત શી ? આવું જે એ બોલે છે એ જ સૂચવે છે કે હજુ એને તત્ત્વ સમજાયું જ નથી. સમ્યગ્દર્શનના વર્ણનમાં ત્યાગ અને ત્યાગની ભાવનાને બાજુ પર મુકાય ? સમ્યજ્ઞાનના વર્ણનમાં ત્યાગની વાત સાથે જ હોય કે બાજુ પર ? સમ્મચારિત્રમાં તો ત્યાગ છે જ. એ ત્રણમાં મોક્ષમાર્ગ છે. તત્ત્વાર્થ સૂત્રકારે શું