________________
999. 1. ૨૯ : સાવધ રહેવાની જરૂર - 69 -
૪૨૯ કહ્યું ? સયતના -ચરિત્રજિ મોક્ષના | દર્શન, જ્ઞાન અને ચારિત્ર ત્રણેને ભેગાં બહુવચનમાં લીધાં અને મોક્ષમાર્ગ એકવચનમાં. એ વચનભેદથી જણાવ્યું કે ત્રણેય ભેગાં થાય ત્યારે જ મોક્ષમાર્ગ બને છે.
સમ્યગ્દર્શન તથા સમ્યફચારિત્ર વિના સમ્યજ્ઞાન મુક્તિમાર્ગ થાય ? સમ્મચારિત્રમાં બાકીના બે ન હોય તો મુક્તિ સધાય ? સમ્યગ્દર્શનમાં પણ સમ્યક્યારિત્ર ન હોય તો ચાલે ? સમ્યગ્દર્શન એકલાથી જ મુક્તિ, સમ્યજ્ઞાન એકલાથી જ મુક્તિ અગર સમ્યક્યારિત્ર એકલાથી જ મુક્તિ કહેનારા સમ્યગ્દષ્ટિ કે મિથ્યાદૃષ્ટિ ?
જ્યાં સમ્યગ્દર્શન હોય ત્યાં બીજરૂપે જ્ઞાન-ચરિત્ર પડેલાં જ હોય-જ્યાં સમ્યગૂજ્ઞાન હોય ત્યાં બીજરૂપે દર્શન-ચારિત્ર પહેલાં જ હોય-જ્યાં સમ્યક ચારિત્ર હોય ત્યાં બીજરૂપે જ્ઞાન-દર્શન હોય જ.
આટલું સમજ્યા પછી સમ્યગ્દર્શનમાં ત્યાગની વાતનું શું કામ એ હવે કહેવાય ? ન જ કહેવાય. સાધુ આ ત્રણ સિવાય ચોથી વાત ન કહે-સામાયિકમાં રહેલા મુનિ સામાયિકની જ વાત કરે, બીજું ન કહે. સામાયિક એટલે ? સમય !
જેનાથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સંમ્મચારિત્રનો લાભ થાય તે સામાયિક. આમાં કોઈ ચોથી વાત છે ? સાધુ શું વાંચે તો આ ત્રણ ન આવે ? કાંઈ પણ વાંચે એમાં એ આવે છે. માટે સમ્યગ્દર્શનના નિરૂપણમાં ત્યાગ વિના ચાલે ? સમ્યજ્ઞાન કે ચારિત્રના વર્ણનમાં ત્યાગ ન આવે એ બને ? એવું કોઈ શાસ્ત્ર બતાવો કે જેમાં આ ન આવે.
શ્રી સંઘરૂપ મેરુનું વર્ણન ચાલે છે. એમાં હજી તો આપણે સમ્યગ્દર્શનરૂપ પીઠની વાતમાં છીએ. એ પીઠની દઢતા અને રૂઢતા વિચારી રહ્યા છીએ. સમ્યગ્દર્શન અને એની ભાવનાની વાત ચાલે છે. કેટલાક કહે છે કે ત્યાગની વાત કર્યા વિના કર્મની પ્રકૃતિ આદિની વાત કરો તો શું વાંધો ? એ માન્યું, અને પ્રકૃતિ આદિની વાતો કરી, પણ પછી ? એ પ્રકૃતિઓનો ઉપશમ, ક્ષય અને ક્ષયોપશમ શા કારણે ? કારણ વિના કાર્ય થાય ?
અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા, લોભ અને મિથ્યાત્વ મોહનીય આત્માના સમ્યગ્દર્શન ગુણનો ઘાત કરે છે. એ ખસે તો સમ્યગ્દર્શન થાય. ત્યાગ અને ત્યાગની ભાવના વિના એ ખસે ? કઈ મનોદશા હોય તો અપૂર્વકરણ આવે ? અપૂર્વકરણ એટલે ? “ય વેરાડપિ પૂર્વે જ પ્રત' જે કદાપિ પૂર્વે પ્રાપ્ત