________________
-
982
૩૯૨
– સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ ટુકડો ન આવે એવી કાળજી એ ન રાખે ? આવી કાળજી રાખે તેને કેટલો લાભ ? જેનજીવન એટલે પેઢીવાળું કે ધાંધલ-ધમાલવાળું જીવન નહિ-લાખ દીધા ને લાખ લીધા કરનારું જીવન નહિ એ જીવન તો ન છૂટકેનું વ્યવહારુ જીવન છે. પણ ત્યાં વ્યવહારમાં પણ જૈનજીવન જુદું જ તરી આવે, દુનિયાની કાર્યવાહીથી ન્યારો થઈને વર્તનારો અનેક પાપોથી બચી જાય છે-ગ્રાહક માટે માલ કાઢીને બતાવે ને તરત ખોટા ભાવ કહે ? ન જ કહે-એ તો કંપે અને વિચારે કે આ બધું કોના માટે ? એમાં દોષ ધર્મશાસનનો નથીઃ સભાઃ “લાલા લજપતરાય જેવાએ જૈનધર્મ છોડી દીધો, એ જેનો એમને
સાચવી ન શક્યા માટે અથવા તો જૈનધર્મમાં પોલ હશે માટે ને ? એવું
સમજાવે છે તો એમાં શું માનવું ?' એ ઇરાદાપૂર્વક તમને ઊંધુ સમજાવે છે. તમે એમની ચાલમાં ફસાતા નહીંએ લોકો કહે છે કે-જો સાધુઓ દુરાગ્રહી ન બન્યા હોત, “આમાં પાપ-તેમાં પાપ” એવું તેમણે હાંક્ય ન રાખ્યું હોત, તુચ્છ મનોવૃત્તિ ન રાખી હોત તો આવા દેશનેતાને જૈન ધર્મે ન ગુમાવ્યો હોત, બોલો ! આ કેવી વિચિત્ર વાત છે ? હું પૂછું છું કે-ભગવાન મહાવીર તમારે અમારે તો પરોક્ષ છે પણ ગોશાળાને તો પ્રત્યક્ષ હતા ને ? તો એણે ભગવાનને કેમ છોડ્યા ? આપણે તો ભગવાન મહાવીરનો ધર્મ પરંપરાએ પામ્યા પણ ગોશાળાને તો એ સાક્ષાત્ મળ્યા હતા ને ? છતાં એ કેમ ન પામ્યો ? (મરતાં મરતાં સમ્યક્ત પામ્યો એ જુદી વાત છે પણ આ તો પહેલાંની વાત છે) ગોશાળો જેવો તેવો હતો ? અગિયાર લાખ તો એનો પડ્યો બોઝ ઝીલે એવા ભક્તો હતા. આજના દેશનેતા પાછળ તો એવા અગિયારસો પણ નહિ હોય-આવા ગોશાળાએ ભગવાન મહાવીર જેવાને કેમ તજ્યા ? શું ભગવાન એને સાચવી ન શક્યા માટે ?
સભા: “એ લોકો તો એમ જ કહે છે.”
એ તો બધું કહેશે પણ તમે તમારું મગજ ઠેકાણે રાખો. એ તો કહે છે કે“ગોશાળા જેવા વિદ્વાનને આવો ચીતરવામાં શાસ્ત્રકારોએ ભૂલ કરી છે.” હું કહું છું કે આવું કહેનારાને જૈનશાસનનું કશું જ્ઞાન જ નથી, એના સ્વરૂપનું કાંઈ ભાન જ નથી. આ શાસન જેવું નિષ્પક્ષ શાસન દુનિયાભરમાં બીજું નહિ મળે. ભગવાન મહાવીર દેવને ભયંકર વેદના દેનાર, તેજલેશ્યા મૂકી પ્રભુને છ છ મહિના વ્યાધિ રહે એવું ભયંકર વર્તન કરનાર, જે તેજલેશ્યા ભગવાન પાસેથી શીખ્યો એનો ભગવાન પર જ ઉપયોગ અને તે પણ મારી નાંખવાના ઇરાદે,