________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
હિંસાને સ્વરૂપ હિંસામાં ગોઠવે છે. એ વાસ્તવિક રીતે અનુબંધ હિંસા છે, તેમ છતાં એ એને સ્વરૂપ હિંસા તરીકે ઓળખાવવા માગે છે.
૩૯૦
960
સભા : “આવું કોઈ દૃષ્ટાંત છે ?”
એનું દૃષ્ટાંત છે આજનું આખું દેડકા પ્રકરણ. એ લોકો કહે છે કે એ દેડકા ચી૨વામાં ૫૨માર્થ કેટલો છે ? એમને પૂછો કે એ તમારા પરમાર્થની વ્યાખ્યા શી ? એમનો પરમાર્થ, એમનો ધર્મ, એમની ભાવના, એ બધું જુદું-જ્ઞાનીઓ આવાને ક્ષુદ્ર કહે છે, તેઓ જ્યાં બેઠા છે ત્યાં લીન છે. એ લીનતાના યોગે એમને અનેક પ્રકારની મૂંઝવણ થાય છે. સમ્યગ્દષ્ટિ બનવું હોય તો દુનિયાની પાપકરણીઓથી દૂર રહેવું પડશે-પાપને પાપ માનવું પડશે, પેલા કહે છે કે બધા પાપ સેવીએ છતાં શા માટે સમ્યગ્દષ્ટિ ન રહી શકીએ ?
શાસ્ત્ર કહ્યું છે કે-હિંસાદિ પાપો સેવાઈ જાય તેથી સમ્યક્ત્વ ચાલ્યું ન જાય, પણ શા માટે ન સેવીએ ? એ ભાંવના આવે તો જરૂર ચાલ્યું જાય, તેમનામાં આટલો પણ વિવેક નથી, તેની જ આ બધી મૂંઝવણ છે. -“અમારી કાર્યવાહીની આડે ન આવો” :
એ લોકો કહે છે કે- “મહાવીરને સર્વજ્ઞ અને આગમને સાચા માનવા એ અમને કબૂલ છે પણ તમે એ બેના નામે અમારી દુનિયાની કાર્યવાહીમાં આડા ન આવો-” એમને મરજી મુજબ વર્તવાની છૂટ આપો તો એ મહાવીરનું કે આગમનું વાંકું ન બોલે. એમને મહાવીર કે આગમ નથી નડતાં પણ એ આગમમાંથી નીકળતો ધ્વનિ એમને ખટકે છે-માટે જ આવા લોકો પ્રેમથી ધર્મક્રિયા નથી કરી શકતા-એ જે કરે છે એ આડંબર છે. એટલા માટે જ આ. શ્રીમાન હરિભદ્રસૂરિ મહારાજા કહે છે કે
“સમ્યગ્દષ્ટિ જે અનુષ્ઠાન કરે તે ક્ષુદ્ર માટે દુષ્કર છે.” ક્ષુદ્રો એ ન જ કરી શકે, પણ એ ન કરી શકે માટે સમ્યગ્દષ્ટિએ મૂંઝાવું નહિ. સમ્યગ્દષ્ટિના અનુષ્ઠાન માટે આ મહાત્મા દૃષ્ટાંત આપે છે કે-જેમ કામનો રસિયો પરસ્ત્રીમાં આસક્ત થયો હોય ત્યારે એની દૃષ્ટિ એ તરફ જ ખેંયાચા કરે, એને બીજું કશું ભાન તે વખતે રહેતું નથી. ઘર-બાર, કુટુંબ-પરિવાર, કુળ-મર્યાદા, પોતાની આબરૂ, એ બધું ભૂલી જાય છે. જ્યારથી એની દૃષ્ટિ ત્યાં ગંઈ ત્યારથી એ માણસ જ મટી ગયો, એને પૂછો તો એ પોતે કહેશે કે ‘મારું હૃદય ત્યાં છે. જે ક્ષણો જાય તે ભયંકર સ્થિતિમાં વીતે છે'-એને ખાવું-પીવું, બેસવું-ઊઠવું, બોલવું-ચાલવું એ કશું ગમતું નથી. એ વખતે પોતાના વ્યક્તિત્વનું પણ તેને