________________
50
૨૭: ધર્મની મહત્તા સ્વતઃસિદ્ધ છે - 67 - ૩૮૯ ન પાય પણ પાવો પડે માટે પાય, કારણ કે ત્યાં પ્રેમ કરે તો પોતે મોહનીયકર્મથી બંધાય છે. પેલી ક્રિયા આત્માની શુદ્ધિ કરનારી જ્યારે આ ક્રિયા આત્માને મલિન કરનારી છે. એટલે સમ્યગ્દષ્ટિ જે કાંઈ ક્રિયા પ્રેમથી કરે તે મુક્તિ માટેની હોય એ જ કરે બાકીની ક્રિયા કરવી પડે માટે કરે. એક ક્રિયા સાધક છે અને બીજી બાધક છે.
સભાઃ “સગાંવહાલાંમાં પણ એમ ?
સગાંવહાલાંમાં સ્વાર્થની ભાવનાથી ન આપતા હો તો એ સાધક છે, પણ ત્યાં તો આપીને પાછું લેવાની વૃત્તિ છે તેથી એ સાધક કઈ રીતે થાય ? સમ્યગ્દષ્ટિ આત્મા મુક્તિની સાધકકરણી જ પ્રેમપૂર્વક કરે. કારણ કે સંસારને એ નિર્ગુણ અને મુક્તિપદને એ ગુણમય માને છે. આવો આત્મા મુક્તિની સાધકકરણી પણ આગમને અનુસરીને જ કરે. મરજી મુજબ એ ચાલે નહિ. આગમ સિવાયની પ્રવૃત્તિમાં એને પોતાનું હિત લાગતું જ નથી. સમકિતી દ્વારા કરાતું અનુષ્ઠાન અલ્પ સત્ત્વવાળા માટે દુષ્કરઃ
આગળ જતાં શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા ફરમાવે છે કે“સમ્યગ્દષ્ટિ આત્મા જે અનુષ્ઠાન કરે તે અલ્પ સત્ત્વવાળા માટે દુષ્કર
જેઓ સમ્યક્ત પામ્યા નથી તે ક્ષુદ્ર છે. એવા આત્મા સમ્યગ્દષ્ટિથી આચરાતાં અનુષ્ઠાનોને એવી શકે નહિ. એ તો જોઈને જ ભડકે. સમ્યગ્દષ્ટિનું એક પણ અનુષ્ઠાન એવું નથી કે જે સંસારનો રસિયો સેવી શકે.
અનંત પુણ્યરાશી ભેગી થાય ત્યારે માનવભવ મળે છે. તેથી અધિક પુણ્ય યોગે સદગુરુનો યોગ મળે–એનાથી અધિક પુણ્યયોગે શાસ્ત્રશ્રવણ, તેથી અધિક પુણ્ય શ્રદ્ધા અને તેથી પણ અધિક પુણ્યયોગે પ્રવૃત્તિ થાય છે. સંસારના પ્રેમને અને ધર્માનુષ્ઠાનની આરાધનાને વૈર છે. સંસારનો પ્રેમી આત્મા ધર્મક્રિયા કરતાંયે દુનિયા સામે દૃષ્ટિ દોડાવે, જ્યારે સમ્યગ્દષ્ટિ આત્મા જેમ જેમ ધર્મક્રિયા કરે તેમ તેમ સંસારથી પરાડભુખ થતો જાય. એનો દૃઢ આગ્રહ મોક્ષ માટે છે, સંસાર માટે નથી. મોક્ષના આગ્રહથી એ જેવી ક્રિયા કરે તેવી સંસારનો આગ્રહી શી રીતે કરી શકે ? સ્વરૂપ હિંસાઃ
ભગવાન શ્રી જિનેશ્વરદેવો મુક્તિના અનુષ્ઠાનમાં થઈ જતી હિંસાને સ્વરૂપ હિંસા કહે છે, જ્યારે આજના સંસારના રસિયાઓ દુનિયાદારીમાં થતી