________________
.
53
૩૮૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ – આજે. શ્રાવકગણમાં આવી મનોવૃત્તિ ફેલાતી જાય છે. આવું ફેલાવનારા મતિમાનોનો સંસર્ગ ન કરો. એવાં સાહિત્ય હાથમાં પણ ન લો. પ્રભુશાસનમાં મતિ કલ્પનાને સ્થાન નથી. મતિએ ચાલનારા મિથ્યાદૃષ્ટિ કહેવાય છે. મોઢે પ્રવચનનો રાગ કહેનારા પણ મતિ મુજબ ચાલનારા શાસનનો નાશ કરનારા છે. સમ્યગ્દષ્ટિ કરણી કઈ કરે ?
સભાઃ “આ ભાંજગડમાં પડવા કરતાં મહાવીરનું જીવન જ ફેરંવી નંખાય તો ?
આ ભાઈ મહાવીરનું જીવન ફેરવવા કહે છે-એ કહે છે કે એમ થાય તો બધી પંચાત મટી જાય. એમને ખબર નથી કે એ રીતનું મહાવીરનું જીવન લખાય પણ છે. માટે જ કહું છું કે એવા સાહિત્યથી બચો! !
દઢ સમ્યક્તને રૂઢ બનાવવા માટે હજી આગળ શું ફરમાવે છે તે હવે પછી..