________________
૨૬ : સંઘ સ્વમતિથી નહિ, શાસ્ત્રમતિથી ચાલે - 66
૩૮૫
વિધાવવિવાહની છૂટ નહિ, તેથી કેટલાય જુવાનીઆ ઉન્માર્ગગામી બની ગયા. જ્યાં ત્યાં ભટકતા થઈ ગયા-છતાં આ ધર્મઘેલાઓ ધર્મનો હાઉ બતાવી વાંઢાઓ અને વિધવાઓને ભેગાં-નથી થવા દેતા, એ સમાજની કેટલી કમનસીબી છે ? આવું બોલે ને પાછા આંખમાં આંસુ લાવે.
955
હવે આગળ યુક્તિ લડાવે અને કહે કે-સાધુને ધર્મની વાતમાં હક્કસમાજીક બાબતોમાં એમને માથું મા૨વાનો હક્ક નથી.’ આવી વાત કરી સાધુને દૂર કર્યા.
વળી એ સાધુઓને માનનારા શ્રાવકો પણ એમને નડે એટલે એમને વચ્ચેથી આઘા કાઢવા એમ કહે કે-પેલા વાણિયા તો વેવલા' સાધુઓની વાતમાં હા એ હા કરનારા, એ બીજું શું સમજે ? આમ બેયને માટે અભિપ્રાય આપ્યા પછી સમજણનો ઇજારો એમનો ર્જ હોય એવી રીતે વાતો કરે-કારણ કે એ માને કે અમે તો ડીગ્રીધારીઓ, વિજ્ઞાનયુગને પીછાણનારા એટલે સર્વ ગુણ અમારામાં. દેશવિદેશ ફરી આવેલા અમે, એટલે અમે જે સમજીએ તે બીજા શું સમજી શકે ?
તેમની આવી વાતો સાંભળ્, સાંભળનારા તાલીઓ પાડે. આમ અરસપરસની ગાડી ચાલે. હું છ મહિનાથી તમાા માથામાં મારી વાતો ઉતારવા કોશિશ કરું છું, છતાં હજી એવું બોલનારા આ સભામાં પણ નીકળે કે ‘એમાં શું ખોટું કહે છે ? આ કેવી દશા ? અહીં તો સમજે દલીલમાં ફાવશું નહિ એટલે ન બોલે પણ પાછા ત્યાં જઈને તાલીઓ પાડે એવા હજી છે. આમાં ઉદય ક્યાંથી થાય ?
વિધવાવિવાહના હિમાયતીઓ એ વિચારતા નથી કે-આ વિધવા થઈ કેમ ? એકને દર્શ કન્યા મળે અને બીજાને એક પણ નહિ એનું કારણ શું ? લોકોમાં આટલી ઠંગાલિયત ક્યાંથી આવી ? આ બધાના મૂળમાં પુણ્ય-પાપ સમજાવીએ તો કહેશે કે ‘આવી વેવલી વાતો ન કરો. અમે આવા નિરાશાવાદમાં માનતા નથી.' સાંભળનારાને પણ પોતે નિર્મમ લાગે એવો દેખાવ કરે.
આજે તમને મીઠું બોલે તે ગમે કે કડવું ? જો કદાચ હું એમ કહું કે-‘ત્યાગ ખરો, પણ કાંઈ સહેલો નથી. ત્યાગ સારો એ વાત સાચી પણ તેય અવસરે હોય’ આ વાત તમને કેવી ગમી જાય ? તે વખતે કહી દો કે-‘જોયું ! મહારાજને કાંઈ હઠ છે ? કેવી આપણી ફીકર રાખે છે ? છે ઉતાવળ ? ધર્મની વાત કરે છે પણ પહેલાં આપણું જુએ છે.’