________________
887
– ૨૧ : ભવિષ્યનો વિચાર કરો !- 61 – –
૨૯૭ જ્ઞાનીએ એને સમ્યફ કોટિમાં ન મૂક્યો; કારણ કે એમાં મલીનતા છે, મિથ્યાત્વ ભળેલું છે. - સંસારની અસારતા સમજવા માટે સાચી દષ્ટિ જોઈએ ?
કેટલાક આત્માઓની અપેક્ષાએ જેમ સંસારની અસારતા વર્તમાન દૃષ્ટિએ સિદ્ધ છે, તેમ અમુક સુખી આત્માઓ માટે ભવિષ્યની દૃષ્ટિએ તે સિદ્ધ છે. ભવિષ્યની દૃષ્ટિની પ્રધાનતા છે, માટે તો છ ખંડના માલિકો મુકુટ ઉતારી ચાલી નીકળ્યા અને ભિક્ષકધર્મ સ્વીકાર્યો-ઇંદ્રો પણ એમના ચરણોમાં નમ્યા અને કહ્યું કે “તમે જ્ઞાની; અમે તેવા નહિ.” ઇંદ્રોને અવધિજ્ઞાન હોય અને મુનિ થયેલાને ન પણ હોય, છતાં અવધિજ્ઞાની ઇંદ્ર અવધિજ્ઞાન વિનાના મુનિના ચરણમાં નમે કે નહિ ? શાથી ? જ્ઞાનનું ફળ મુનિએ મેળવ્યું માટે. જ્ઞાનસ્થ પ્રવિરતિઃ 1 ઇંદ્ર પોતે જ્ઞાની ખરા પણ ફળહીન. એટલા માટે તો અનુત્તરવિમાનવાસી દેવોને પણ ચોથે ગુણસ્થાનકે માન્યા. એ દેવોનું અવધિજ્ઞાન તેજ, એમના કષાયો મંદ, વિષયની આસક્તિ નહિ, વિકારો એમનાથી દૂર, શાસ્ત્ર એમને વીતરાગ પ્રાયઃ જણાવ્યા, છતાં એમને ચોથે ગુણસ્થાનકે કહ્યા છે અને મુનિને છઠ્ઠા ગુણસ્થાનકે કહ્યા એનું કારણ ? મુનિમાં જ્ઞાનનું ફળ આવ્યું માટે. ફળની પ્રાપ્તિ થયા બાદ પેલા જ્ઞાનને વિકસાવતાં વાર ન લાગે. દેવ અવધિજ્ઞાની અસંખ્યાત કાળ એ જ્ઞાનમાં રહે છતાં કદી કેવળજ્ઞાન ન પામે; જ્યારે અષ્ટપ્રવચન માતાના પાલક મુનિ અવધિજ્ઞાન પામ્યા વિના પણ કેવળજ્ઞાન પામે.
* કોઈ કહે કે મેં આટલાં પુસ્તકો વાંચ્યાં એટલે વસ્તુનું જ્ઞાન થયું. શાસ્ત્ર ના પાડે છે. શાસ્ત્ર કહે છે કે જ્ઞાન સાથે પરિણામ જોઈએ. સમકિતી, દેશવિરતિ, સર્વવિરતિનાં પરિણામો માટે જુદી જુદી યોગ્યતાની નિયત શરતો છે. “હું તો પહેલાં હતું એવો જ સદાયે રહીશ' એવું સમ્યગ્દષ્ટિ કહે એ ચાલે ? જેને સમ્યક્ત પ્રાપ્ત થાય એ પાપથી ન કંપે ? એ પાપને પાપ ન માને ? એ રસપૂર્વક પાપ કરે ? કંદી-કરવું પડે. ને કરે તો બને તેટલું ઓછું અને કંપપૂર્વક જ કરે ને ? માટે તો કહ્યું કે-gોસિ દોડ઼ વંથો | સમકિતીને બંધ અલ્પ હોય.
આજની દશા જુદી છે. આજે તો દુ:ખને પણ સંસારની અસારતા મનાવવી મુશ્કેલ છે. ટુકડો પણ મળવાનાં ઠેકાણાં નહિ છતાં સંસારને તો સારો જ માને. છતાં માનીએ કે દુનિયાના દુઃખી આત્માઓ કદી વર્તમાન દૃષ્ટિએ સંસારને અસાર કહે પણ ઇંદ્રો, રાજા, મહારાજા, ધન્ના, શાલિભદ્ર જેવાને સંસારની અસારતા કઈ દૃષ્ટિએ સમજાવાય ? આપણી વાત જવા દ્યો. એમની અપેક્ષાએ તો આજના લોકો કંગાળ છે. આજની રિદ્ધિ-સિદ્ધિ કે બંગલા બગીચામાં કાંઈ