________________
૩૮૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
952
માર્ગવિરુદ્ધ પ્રરૂપક, મિથ્યાદૃષ્ટિ :
‘અરિહંતનું પ્રવચન માન્ય છે' એવું માત્ર જીભે બોલનારા દંભીઓએ તો આ શાસનને ભયંકર નુકસાન પહોંચાડ્યું છે-શાસ્ત્ર કહે છે કે મહાવીરને માનવાની વાત કરો તો આજ્ઞા એની માનો-કવિવર્ય શ્રી દેવચંદ્રજી કહે છે કેસ્વામીગુણ ઓળખી, સ્વામીને જે ભજે, દરિશન શુદ્ધતા તેહ પામે :
મોઢે અરિહંતના પ્રવચન પર રાગ હોવાનું જણાવે અને પછી પોતાની મતિ ચલાવે તો દર્શન મલિન થાય-અલ્પ ક્ષયોપશમના કારણે ભૂલ થાય પણ કોઈ બતાવે તો તરત સુધારવાની તૈયારી હોય તો સમ્યક્ત્વ ન જાય, પણ જેની ભૂલ સુધા૨વાની તૈયારી ન હોય એનામાં સમ્યક્ત્વ હોય ? અને હોય તો ટકે ? જે પોતાની બુદ્ધિમાં આવે તેમ ચલાવ્યે રાખે અને સમજવા તૈયાર પણ ન હોય તે તો મિથ્યાદષ્ટિ છે.
સૂતરનો તંતુ દેહને વળગે એટલે સંયમ ન રહે, સંયમ ન હોય એટલે કેવળજ્ઞાન ન થાય માટે સ્ત્રીને સંયમ ન હોય, કેવળજ્ઞાન ન થાય, એવું માનનારા તથા ચાર નિક્ષેપને બદલે સ્થાપના નિક્ષેપાને ઉડાવી ત્રણને માનનારામાં સમ્યક્ત્વ કેમ હોઈ શકે ? માર્ગ વિરુદ્ધ પ્રરૂપણા કરનારાને મિથ્યાદ્રષ્ટિ માનવામાં હ૨કત શી ?
શ્રાવકને દ્રવ્યપૂજા અને સાધુને કેમ નહિ ?
સભા ‘દ્રવ્યપૂજા સાધુ પોતે નથી કરતા માટે પાપ છે ? પાપ હોય તો શ્રાવકને દ્રવ્યપૂજા કરવા યોગ્ય છે એમ કેમ કહે ?’
}
દ્રવ્યપૂજામાં પાપ છે માટે સાધુ નથી કરતા એમ નથી. ભગવાનનની પૂજામાં પાપ કેમ મનાય ? ત્યાં અધિકારીપણાનો સવાલ છે. સાધુ દ્રવ્યપૂજાનો અધિકારી નથી-શ્રાવકને દ્રવ્યપૂજા અવશ્ય કરણીય છે. પથારીમાં પડેલા દીકરાને બાપ દવા પાય કે નહિ ? પાય જ. પણ પોતે ન પીવે. કારણ, પોતાને રોગ નથી. દીકરો રોગી છે. એ વખતે દીકરો કહે કે-‘બાપાજી, તમે નથી પીતા તો મને કેમ પાઓ છો ? તો એ ચાલે ? દીકરો માંદો થાય તો ડૉક્ટરને ઘેર બોલાવી પચાસ રૂપિયા વિઝિટ ફીના ખર્ચી દવા લાવે અને પોતે પાય. રોગ સારો નથી, દવાનો પ્રેમ નથી પણ દવા કરવાથી પરિણામ.સારું માન્યું તો દવા કરે છે ને ? દવા પીતાં મોઢું કટાણું કરે તોયે પાય છે ને ? ડૉક્ટર કહે કે ચાહ