________________
૩િ૮૦ – સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ –
50 ઇંજેક્શનથી ચામડી બહેરી કરવી પડે, પછી જ વાઢકાપ થાય. સાડા ત્રણ મણની કાયા સાથે, છતાં એમાં મૂચ્છ નહિ !અને સૂતરના તંતુમાં મૂચ્છ ખરી, આવું માનનારા કહે છે કે-“અરિહંતનું પ્રવચન માનું છું પણ મારી મતિ કહે છે કે “શરીર પર મૂર્છા ન થાય પણ સૂતરના તંતુમાં થાય.” શાસ્ત્ર તો કહે છે કે આવું કહેનારા અજ્ઞાન છે.
શ્વેતાંબરો એવું નથી કહેતા કે નગ્નને કેવળજ્ઞાન ન થાય કે એનામાં સંયમ ન હોય ! વસ્ત્રો હોય પણ લૂંટારો લૂંટી જાય તો સંયમ પણ ભાગી જાય એવું એ નથી માનતા. પરંતુ એવી અવસ્થામાંયે ક્ષપકશ્રેણી માંડે અને કેવળજ્ઞાન પણ પામે એમ તેઓ માને છે. ત્યાં કોઈ પણ પ્રકારની હઠ નથી. આ તો કહે છે કે સૂતરનો તંતુ શરીરને વળગ્યો એટલે કેવળજ્ઞાન ન થાય. માટે તો મલ્લીનાથને મલ્લનાથ કહે છે. આ કદાગ્રહના કારણે એમનામાં ચાર પ્રકારના સંઘમાંથી બે પ્રકારનો જ . રહ્યો. સાધ્વીસંઘ તો રહ્યો જ નહિ અને સાધુ પણ આ સરકારના રાજ્યમાં એમ કરી શકે નહિ. ભગવાને ચાર પ્રકારનો સંઘ સ્થાપ્યો ત્યારે એમણે બે પ્રકારનો જ રહે તેવી યોજના આદરી. વળી એ લોકો કહે છે કે આજે દ્વાદશાંગી છે નહિ. પૂછીએ કે “ત્યારે શું છે ? તો કહે છે કે પુરાણ છે. વારું ! પણ એ પુરાણ બનાવ્યાં કોણે ? તો એનો જવાબ નથી. આમ છતાં એ કહે છે કે “અમને પ્રવચન પર રાગ છે માટે બીજું કાંઈ ન જોવાય.” આ કઈ જાતનો ન્યાય ? સાધુથી શું કરાય, શું ન કરાય?
હવે આજના આપણા ઘરનાઓની દલીલ સાંભળો. એ કહે છે કે-જેમ મુનિ પૂજા ન કરે પણ શ્રાવકને પૂજા કરવાનું કહે છે તે રીતે શ્રાવકને બીજી ક્રિયા કરવાનું કેમ ન કહે ? પોતે ચૂલો ભલે ન સળગાવે પણ શ્રાવકને સળગાવવાનું કહેવામાં શું વાંધો ? પોતે વેપાર ભલે ન કરે પણ શ્રાવકને વેપાર ધંધા કરવાની પ્રેરણા કેમ ન કરે ?આવું બધું પોતાની મતિથી જ કહે છે ને ? આવું કહેવાની ઘટનાને પણ છૂટ ખરી ? તમને ક્યા દીકરા ગમે ? ચાર દીકરા હોય પણ પ્રેમ કોના ઉપર ? તિજોરીમાં લાવે તેના પર કે બહાર ફેંકી આવે તેના ઉપર. ચારમાંથી એક દીકરો કહે કે- “બાપાજી ! તમે તો લોભિયા થયા છો. હું તો તિજોરીમાંથી ફાવે તેમ ઉડાડીશ !” એમ કહી ઉડાડવા માંડે તો બાપાજી શું કરે ? પાગલ થયો છે એમ કહીને ઓરડીમાં જ પૂરે ને ? -
આવા ઘરના મિથ્યાષ્ટિઓ જેટલા પેલા બહારના મિથ્યાષ્ટિઓ ભયંકર નથી. પેલાને તો બધા ઓળખે. ઘરના ઓળખાય નહિ-શાસ્ત્રમાંથી આવી એકાદ ગાથા લઈ તેને એવા વિકૃત સ્વરૂપે રજૂ કરે કે સત્યાનાશ વાળે-એવાને