________________
૨૫ : ભવ ભયંકર : મોક્ષ ભદ્રંકર
ઃ
વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૭, મહા વદ-૫, સોમવાર, તા. ૧૭-૨-૧૯૩૦.
૭૦ સંસાર ભયંકર કેમ ?
♦ તો મોક્ષ પણ નજીક છે :
૭ જો.... કિંમત સમજાય તો ?
♦ લઘુકર્મી, ભારેકર્મી અને દુર્લભબોધિ :
♦ જો કર્મ બાંધ્યાં છે, તો ભોગવવા તૈયાર રહો !
♦ સમ્યગ્દષ્ટિ જીવ, ધર્મ કઈ રીતે અને શા માટે કરે ?
♦ ધર્મ, ‘યથામતિ’ નહિ પણ, ‘યથાગમ' કરવાનો
♦ સમ્યગ્દષ્ટિ દુષ્કર કાર્યને પણ સુકર બનાવે :
:
65
સંસાર ભયંકર કેમ ?
અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ગણિ ક્ષમાશ્રમણ મહારાજા શ્રી સંઘરૂપ મેરૂની સમ્યગ્દર્શનરૂપ વજ્રરત્નમયી પીઠની રૂઢતા હવે વર્ણવે છે. એ પીઠને દૃઢ બનાવવા માટે શંકાદિ પાંચેય દોષોનો ત્યાગ કરવો જોઈએ અને રૂઢ બનાવવા માટે પ્રતિસમયે શુદ્ધ થતી પરિણામની ધારાનું સેવન કાયમ કરવું જોઈએ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજીનું મહારાજાનું એ કથન આપણે જોઈ ગયા કે“જે આત્માને તત્ત્વની શ્રદ્ધા થઈ તે આત્મા સંસારસાગરમાં ૨મે નહિ-કેમકે ભાવચક્ષુથી શાસ્ત્રાનુસારે સમ્યગ્દષ્ટિ આત્મા, સંસારને એ જે સ્વરૂપે છે તે સ્વરૂપે જોઈ શકે છે. તેથી, એ રીતે સંસારને જોવાથી પ્રશાંત થયેલો, અંતરાત્મા બનેલો, ૫રમ સંવેગને પામેલો આત્મા આ પ્રમાણે વિચારે. અહીં જે વિચારો હવે કહેવાય છે તે ભાવના તન્મય થાય તો એ દઢ પીઠ રૂઢ બને, રૂઢતા આવ્યા પછી ગાઢતા અને અવગાઢતા આવે. આ ચારેય વિશેષણથી યુક્ત પીઠ બને તો તેના ઉપર મેરૂગિરિ જેવી રચના થાય. સમ્યક્ત્વ એ પાયો છે. પાયો જેટલો મજબૂત તેટલું ઉ૫૨નું ચણતર ટકે-પાયો જો નબળો તો ઉ૫૨નું ચણતર જોખમી બને; આશ્રય લેના૨ને ભયંકર આપત્તિમાં મૂકી દે.
સંસારના સ્વરૂપને જોયા પછી આત્મા શું વિચારે ? એ વિચારે કેસંસારસાગર ભયંકર છે, એમાં વર્તતા જીવો માટે એ ક્લેશકર છે. એમાં અનેક