________________
847 — ૨૦ : અનુમોદના, પ્રશંસા, ચાર આશ્રમ અને વૈરાગ્ય : - 60
તો તો એવું થાય કે એવા જ્ઞાનીની હયાતીમાં જ ધર્મોપદેશ થાય. દરેક કાળમાં એવા જ્ઞાનીઓની હયાતી હોતી નથી. દરેક કાળમાં એવા મહાપુરુષ નથી હોતા કે જે પૂર્વસંચિત પા૨ખી શકે.
૨૭૭
જે જે વસ્તુ જે જે સ્વરૂપે કહેવાય તેને તે તે સ્વરૂપે માનવાની આ વાત ચાલે છે.
તમારામાં ચાર આશ્રમની યોજના છે. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ. બ્રહચર્યાશ્રમમાંથી ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થા-શ્રમમાં ગયા વિના સંન્યસ્તાશ્રમમાં ન જ જઈ શકાય, એમ માનો છો ? જઈ શકાય. એમ જ માનું પડશે. કારણ કે બાલબ્રહ્મચારી યોગી તમારે ત્યાં પણ વધુ પૂજ્ય ગણાય છે ને ? એટલે હવે સંન્યસ્તાશ્રમ સ્વીકારનારે તે પહેલાં ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ સ્વીકારવોં જ જોઈએ, એવો કોઈ નિયમ રહેતો નથી. જેનાં સંચિત (પૂર્વકાળમાં ઉપાર્જેલ ભોગકર્મ) બાકી હોય તેને માટે ગૃહસ્થાશ્રમ છે એમ નિશ્ચિત થયું.
આ બધું જોતાં ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ કેવા ગણાય ? સંચિત (પૂર્વકર્મના) યોગે જેનામાં સંન્યસ્તાશ્રમ સ્વીકારવાની શક્તિ ન હોય તેને માટે એ બંને વિસામારૂપ છે.
જેઓ આજે એમ કહે છે કે ક્રમસર એક એક આશ્રમનો સ્વીકાર કર્યા પછી જ છેલ્લો આશ્રમ સ્વીકારાય' તેઓની એ વાત કોઈ પણ રીતે સાચી કહી શકાય તેમ છે ?
ન્યાયા૰ : `‘ના, ન કહી શકાય.'
એટલે હવે એ વાત સારી રીતે સ્પષ્ટ થાય છે કે જેઓમાં સીધો જ સંન્યસ્તાશ્રમ સ્વીકારવાની તાકાત ન હોય, તેવા નબળા જીવો માટે જ વચ્ચેના બે આશ્રમો વિસામારૂપ છે. ગૃહસ્થાશ્રમ પૂર્વસંચિતના ભોગવટારૂપ છે પણ તે સંન્યસ્તાશ્રમનું કારણ (સાધન) નથી.
-
‘કારણ' કોને કહેવાય?
જેના યોગે જે મળે તે તેનું કારણ કહેવાય. માટી એ ઘડાનું કારણ છે પણ રેતી ઘડાનું કારણ નથી. માટીમાં ઘડો બનવાની યોગ્યતા છે. એ યોગ્યતા રેતીમાં નથી. જે આત્મામાં તથાપ્રકારની યોગ્યતા હોય તે સંન્યસ્તને પામે પણ ગૃહસ્થાશ્રમના યોગે અર્થાત્ ગૃહસ્થાશ્રમના ભોગો ભોગવવાના કારણે સંન્યસ્ત પામે એમ નહિ.