________________
[ ૮૭ ] પસેલું હોય તે દુરૂકી કહેવાય છે, સાબી, તે તેના બીજ બધાં કાયમ રહ્યાં હોય, તે તે કાચું જાણવું. તે ન કપે.
से भिक्खू वा० से जं पुण० आमडागं वा पइपिन्नागं वा महुं वा मज्जं वा सप्पि वा खोलं वा पुराणगं वा इत्थ पाणा अणुप्पसूयाइं जायाइं संवुडाइं अव्वुकंताई अपरिणया इत्थ पाणा अविद्वत्था नो पडिगाहिजा ॥ (सू०४६ ) ॥
વળી તે સાધુ એમ જાણે કે કાચાં પાન તે અરણક તંદુલીય ( તાંદળજા) વિગેરેનાં પાંદડાં અર્ધ કાચાં અથવા તદન કાચાં છે, અથવા તેને ખલ કર્યો છે, મધ અને માંસ જાણીતાં છે, તથા ઘી તથા ખોલ દારૂના નીચેને કચરો આ બધાં ઘણું વરસનાં જુનાં હોય તે લેવાં નહિ, કારણકે તેમાં જીવ ઉત્પન્ન થઈ જાય છે, અને તેથી તે અચિત્ત હતાં નથી, સૂત્રમાં સંવૃદ્ધા વિગેરે એક અર્થવાળા છતાં જુદા જુદા દેશના શિષ્યોને સમજાવવા સૂત્રકારે લીધા છે અથવા તેમાં કિંચિત ભેદ છે. (આમાં મધ અને દારૂ અભક્ષ્ય છતાં શાસ્ત્રકારે ચેપડવા માટે કારણ વિશેષે છુટ એટલા માટે આપી છે કે હાથ પગ ઉતરી ગયો હોય તે તેને ઉપયોગ કરે પડે, તે સંબંધે સાધુને મહાન પ્રાયશ્ચિત્ત છે, માટે વર્તમાનકાળમાં પણ બને ત્યાં સુધી ચળવા ચેપડવામાં તેવી ચીજ ન વાપરવી, પણ બીજો ઉપાય જ ન હોય તે કદાચ વાપરવી પડે તે પણ તેનું છેદસૂત્ર પ્રમાણે મહાન પ્રાયશ્ચિત્ત લેવું કે દુર્ગતિ ન થાય.)