________________
[૨૮૫]
બનાવ્યું હોય, તથા કપડાના કકડા શીવીને કાંચળી વિગેરે બનાવે-તે સંઘાતિમ છે, લાકડાના રથ વિગેરે કાષ્ટ કર્મ છે, તથા પુસ્તકે લેપનું કામ, ચિત્ર, તથા જુદાં જુદાં મણિ રત્ન વડે સાથી આ વિગેરે બનાવેલ હાય, હાથીદાંતની પુતળી. વિગેરે હોય, પાંદડાં છેદીને આકાર બનાવ્યો હોય, આ પ્રમાણે અનેક મનહર વસ્તુઓ દેખીને આંખને પ્રસન્ન કરવાની ઈચ્છાથી ન જાય, અર્થાત જવું તે દૂર રહે પણ મનમાં અને ભિલાષા પણ દેખવાની ન કરે, તથા પૂર્વે શબ્દોના અધિકારમાં બતાવ્યું તે પ્રમાણે અહીં પણ જવુ કે આલોક સંબંધી કે પરલેક સંબધી સાંભળ્યું હોય કે ન સાંભળ્યું હોય, દેખ્યું હોય કે નહિ દેખ્યું હોય, તે તે તે દરેક જાતિના રૂપમાં રાગ ગૃદ્ધતા, મેહ કે તલ્લીનતા ન કરવી, જે રૂપમાં રાગ વિગેરે કરશે તે આ લેકમાં મનુષ્ય વિગેરેથી અને પરલેકમાં પરમાધામીના માર પડશે.
પરક્રિયા નામનું છડું અધ્યયેન, રૂપ અધ્યયન કહીને પરક્રિયા નામનું છઠું અધ્યયન કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે.
ગયાં બે અધ્યયનમાં રાગદ્વેષની ઉત્પત્તિનાં નિમિત્ત મધરશબ્દ અને રૂપનો નિષેધ બતાવ્યો, તેને જ અહીં બીજે પ્રકારે કહેશે, આ સંબંધે આવેલા અધ્યયનના નામ નિષ્પન્ન નિક્ષેપમાં પક્રિયા એવું આદાન પદવડે નામ છે તેમાં પ્રથમ પર શબ્દને છ પ્રકારને નિક્ષેપ અડધી આંથાવાડે કહે છે.
છે.
*
* *