________________
[૩૨૪
સમુદ્ર ઉલ્લંઘીને જ્યાં જંબદ્વીપ છે, ત્યાં આવી ક્ષત્રિયકુંડ. નગરના ઈશાન કેણમાં ઉતાવળા આવી પહોંચ્યા.
ત્યારબાદ શક નામે દેવના ઈંદ્ર ધીમે ધીમે વિમાનને ત્યાં થાપી, ધીમે ધીમે તેમાંથી ઉતરી, એકાંતે જઈ મેહોટે વેકિય સમુદ્ધાત કરી એક મહાન મણિ-સુવર્ણ તથા રત્ન જડિત, શુભ મનહર રૂપવાળું દેવચ્છેદક (એારડ) વિકુવ્યું ( બનાવ્યું), તે દેવછંદકની વચ્ચોવચ્ચ મધ્ય ભાગે એક તેવું જ રમણીય પાદપીઠિકા સહિત એક મહાન સિંહાસન વિકુવ્યું. પછી જ્યાં ભગવાન હતા, ત્યાં આવીને ભગવાનની ત્રણવાર પ્રદક્ષિણા કરી વાંદી નમી ભગવાનને લઈ જ્યાં દેવ છંદક હતું ત્યાં આવી ધીમે ધીમે પૂર્વ દિશા સામે ભગવાનને સિંહાસનમાં બેસાડ્યા. પછી શતપાક અને સહસંપાક તૈલેવડે મર્દન કરી ગંધકાષાયિક વસ્ત્રવડે લુંછીને પવિત્ર પાણીથી નવરાવી લક્ષમૂલ્યવાળું ઠંડું રક્તગોશીષચંદન ઘસી તૈયાર કરી તેને વડે લેપન કર્યું. ત્યારબાદ નિશ્વાસના લગારેક વાયુથી ચલાયમાન થનારાં, વખણાયેલાં નગર કે પાટણમાં બનેલાં, ચતુર જનોમાં વખણાએલાં, ઘોડાનાં છીણ જેવાં મહર, ચતુર કારીગરોએ સોનાથી પંચેલા, હંસ સમાન સ્વચ્છ બે વસ્ત્રો પહેરાવ્યા. પછી હાર, અર્ધહાર ઉરસ્થ, એકાવળિ પ્રાલંબ, સુત્રપટ્ટ, મુકુટ તથા રત્નમાળાદિ આભરણે પહેરાવ્યાં. પછી જૂદી જૂદી જાતની ફૂલની માળાએથી પુપતરૂના માફક શણગાર્યો. પછી ઈ પાછો બીજીવાર