________________
[૩૪] સાધર્મિક પાસેથી પણ વિચારીને પરિમિત અવગ્રહ માગવે, નહિ કે વગર વિચારે અપરિમિત. એ પાંચમી ભાવના.
એ ભાવનાઓથી મહાવ્રત રૂડી રીતે યાવત્ આજ્ઞા પ્રમાણે આરાધિત થાય છે. એ ત્રીજું મહાવ્રત.
ચોથે મહાવ્રત–“સમથન ત છું. એટલે કે દેવ મનુષ્ય તથા તિર્યંચ સંબંધી મિથુન હું ચાવજવત્રિવિધે ત્રિવિધ કરું નહિ.” ઈત્યાદિ અદત્તાદાન માફક બોલવું.
તેની આ પાંચ ભાવનાઓ છે. ત્યાં પહેલી ભાવના એ કે નિર્ગથે વારંવાર સ્ત્રીની કથા કહ્યા કરવી નહિ; કેમકે કેવળી કહે છે કે વારંવાર સ્ત્રી કથા કરતાં શાંતિને ભંગ થવાથી નિગ્રંથ શાંતિથી તથા કેવળી ભાષિત ધર્મથી ભ્રષ્ટ થાય. માટે નિર્ગથે વારંવાર સ્ત્રી કથાકારક ન થવું એ પહેલી ભાવના.
બીજી ભાવના એ કે નિર્ગથે સ્ત્રીઓની મનહર ઇંદ્રિ જેવી કે ચિંતવવી નહિ. કેમકે કેવળી કહે છે કે તેમ કરતાં શાંતિ ભંગ થવાથી ધર્મભ્રષ્ટ થવાય. માટે નિર્ગથે સ્ત્રીઓની મનહર ઇદ્રિ જેવી કે તકાસવી નહિ. એ બીજી ભાવના.
ત્રીજી ભાવના એ કે નિર્ગથે સ્ત્રીઓ સાથે પૂર્વે રમેલી રમત–કીડાઓ યાદ ન કરવી; કેમકે કેવળી કહે છે કે તે યાદ કરતાં શાંતિ ભંગ થવાથી ધર્મભ્રષ્ટ થવાય. માટે નિર્ગથે સ્ત્રીઓ સાથે પૂર્વે મેલી રમત ગમતે સંભારવી નહિ. એ ત્રીજી ભાવના.