________________
[૪૪] ચાખતાં તેમાં આસક્ત કે વિવેકષ્ટ ન થવું; કેમકે કેવળી કહે છે કે તેમ થતાં શાંતિભંગ થવાથી ધર્મભ્રષ્ટ થવાય છે.
જીભે રસ ચડતા તે, અટકાવાય ના કદિ; કિતું ત્યાં રાગ દ્વેષને, પરિહાર કરે યતિ.
એમ જીભથી જીવે ભલા ભૂંડા રસ ચાખી રાગદ્વેષ ન કરે એ ચોથી ભાવના.
પાંચમી ભાવના એ કે ભલા ભૂંડા સ્પર્શ અનુભવતાં તેમાં આસક્ત કે વિવેકભ્રષ્ટ ન થવું; કેમકે કેવળી કહે છે કે તેમ થતાં શાંતિ ભંગ થવાથી ધર્મભ્રષ્ટ થવાય છે.
પઢિયે સ્પર્શ આવે, અટકાવાય ના કદિ; કિંતુ ત્યાં રાગદ્વેષને, પરિહાર કરે યતિ.
એમ સ્પર્શથી જીવે ભલા ભૂંડા સ્પર્શ અનુભવી રાગ ઢષ ન કરે. એ પાંચમી ભાવના.
એ રીતે મહાવ્રત રૂડી રીતે કાયાથી સ્પેશિત, પાલિત પાર પહોંચાડેલ, કીર્તિત, અવસ્થિત અને આજ્ઞાથી આરાધિત પણ થાય એ પાંચમું મહાવ્રત.
એ મહાવ્રતની પચીસ ભાવનાવડે સંપન્ન અણગાર સૂત્ર, કપ તથા માર્ગને યથાર્થ પણે રૂડીરીતે કાયાથી પશી પાળી, પાર પહોંચાડી, કીર્તિત કરી આજ્ઞાને આરાધક પણ થાય છે. (આ સૂત્રની ટીકા વિશેષ નથી. તેમજ મૂળનું ભાન પાંતર કરનાર શ્રાવક રવજીભાઈ વિદ્વાન હોવાથી છેવટના ભાગમાં કેટલીક જગ્યાએ કાવ્ય તથા ભાષાની નકલ કરી છે)