________________
[૨૪] સિંધમાંજ એક જાતનાં પશુ થાય છે તેના ચામડામાંથી બને નાવેલ તથા પેસલ-તેનાજ ચામડાંના પણ સૂક્ષમ રૂવાથી બનાવેલ હોય તથા કાળ નીલાં બૈરાં અનેક જાતિનાં મૂગો હોય છે, તેના ચામડાનાં બનાવેલાં, તથા કનક તે વસ્ત્રમાં સોનાના રસથી સુંદર કર્યો હોય તથા કનકની કાંતિ જેવાં સુંદર હોય, કનક રસ પટ્ટ કર્યા હોય તથા સોનાનાં રસથી સ્તબક બનાવી સુંદર બનાવ્યાં હોય, તથા કનક સ્પષ્ટ વિગેરે વસ્ત્રો પૂર્વે થતાં હશે, (હાલમાં તેના તાર બનાવી જેડે વણે છે, તે જરીવાળા દુપટ્ટા વિગેરે બને છે) તથા વાઘનાં ચામડાંનાં વસ્ત્ર તથા વાઘના ચામડાથી વિચિત્ર બનાવ્યું હોય, તથા આભરણ પ્રધાન ( દાગીના માફક તેમાં મોતી હીરા જડ્યા હોય-ગુંચ્યા હોય) તથા આભરણ વિચિત્ર ગિરિ વિડક( ) વિગેરેથી વિભૂષિત કર્યો હોય, તથા તેવાં બીજાં ભારે ચામડાંથી બનાવેલ ભારે કિંમતનાં સુંદર વસ્ત્રો મળતાં હોય તો પણ લેવાં નહિ. (વર્તમાનમાં કેટલાક શાસ્ત્રથી અજાણ એવા સાધુઓ રાગવશ થઈને અને કેટલાક ગીતાર્થ પંડિત ગણાતા સાધુઓ ભક્તોની અતિ શ્રદ્ધાને લાભ લઈ ભારે મૂલ્યની કામળે ખાસ ખરીદાવીને ઓઢે છે, પણ તેમના તેજમાં અંજાઈ શ્રાવકવર્ગ બેલી શકતું નથી, તેવાને માટે ઉપરનું સૂત્ર વીતરાગની આજ્ઞાનું પાલન કરવા માટે હવે પછી પણ વહોરાવતાં કે લેતાં ભવ્યાત્મા વિચારશે. જ્યારે દેશની આબાદી માટે કરોડ૫તિઓ પણ ખાદી પહેરી અપવિત્ર વસ્ત્રોને બાદ્દાશોભા માટે જાણુને ત્યાગે છે, ત્યારે ખાસ પૂજ્યમાં સાધુવને કેટલાક