________________
[૨૧] છે. કારણ કે તેઓ ગચ્છવાસી આચાર્ય પાસે સૂત્ર અર્થ ભણતા હોવાથી આચાર્ય માટે મકાન યાચે છે.
ચોથી પ્રતિમામાં એ અભિગ્રહ છે. કે હું બીજાને માટે અવગ્રહ યાચીશ નહિ. પણ બીજાએ માગેલા અવગ્રહમાં રહીશ, આ અભિગ્રહ ગ૭માં રહેલા અદ્ભુદત વિહારી ગ૭માં રહીને જિનકલ્પી થવાને માટે અભ્યાસ કરતા હોય તેમને માટે છે.
પાંચમી પ્રતિમા આ પ્રમાણે છે કે હું પિતાના માટે અવગ્રહ યાચીશ, પણ બીજા ત્રણ, ચાર, પાંચ માટે અવગ્રહ નહિ યાચું, આ જિનકલ્પી માટે અભિગ્રહ છે.
હું અવગ્રહ યાચીશ પણ ત્યાંજ ઉત્કટ વિગેરે સંથારો લઈશ નહિ તે ઉત્સુક અથવા બેઠેલો કે ઉભેલે આખી રાત પુરી કરીશ . આ છટ્રી પ્રતિમા જિનકલ્પી વિગેરેને છે. - સાતમી પ્રતિમા ઉપર પ્રમાણે છે કે હું ઉપર બતાવેલ સંથારો કરવા શિલાદિક વિગેરે તૈયાર હશે તેજ લઈશ. આમાં વિશેષ એટલું છે કે તૈયાર હોય તેજ લે, નહિ તે બેઠે બેઠે કે ઉભે ઉભે રાત્રી પુરી કરે. આ પણ જિનકલ્પી વિગેરેની છે.
આ સાતે પ્રતિમા વહેનારા સાધુઓ જિનકલ્પ વિગેરે જિનેશ્વરની આજ્ઞામાં હોવાથી યથાશક્તિ પાળતા હોવાથી વધારે પાળનાર હોય તે પિતાને ઉંચે ન માને તેમ બીજાની નિંદા ન કરે. એ બધું પિંડએષણ માફક જાણવું.