Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 24 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. એવાં છે. એના અંધપર રહેલા મનહર કર્ણય જાણે યુવાન પરૂષના અસ્થિર ચિત્તને બાંધી લેવાને તૈયાર કરેલી પાશ હાયની ! વળી, પત્રવાળી આની ભાળસ્થળી, કામદેવે કર્મને પરિણામે મનુષ્યદેશને પ્રાપ્ત કરાવેલી તેની શાળાજ હાયની ! અહો ! આ નંદા ચરણથી મુખપર્યન્ત લાવણ્યરસથી ભરેલી છે; અન્યથા કેશના મિષે રહેલા આ વોકર અહિં હોય નહીં! નિશ્ચચે આને ગરીની સમાન કેવળ સુવર્ણના પરમાણુઓથી નિર્માણ કરેલી અથવા હેમકૂટ પર્વત થકી આકૃષ્ટ કરેલી હોયની ! - શ્રેણિક કુમાર આ પ્રમાણે ચિતવન કરતો હતો એવામાં, સિદ્ધાન્તને પાઠ કરતા સાધુને પિણી પિરસી 4 થાય તેમ લગ્નવેળા થઈ. એટલે જકાત લેનાર અધિકારી જેમ વ્યાપારીને કર (જકાત) લે તેમ શ્રેણિક કુમારે હર્ષ સહિત નન્દાને કર ગ્રહણ કર્યો. વેદિકાની પાસે આવીને એ પતિપત્નીએ, માગશર માસની પ્રથમ તિથિએ રેહિણી ને શશી જેમ મેરૂપર્વતની પ્રદક્ષિણા કરે તેમ, અનિની પ્રદક્ષિણા કરી. કરમેચનને વખતે શ્રેષ્ઠીએ અધાદિકનું દાન કર્યું કારણ કે ઉદાર પુરૂષનું નિત્ય આવુંજ આચરણ હેય છે. આ હસ્તમેળાપ પુષ્કળ દ્રવ્યના વ્યયને લીધે બહુજ પ્રશંસાપાત્ર થયે; કારણ કે ઘણે કસું નાખવાથી વજને વિષે પણ રાગ (રંગ) થાય છે. આ વખતે શ્રેણિકને વિચાર થશે કે મારા પિતાએ કરેલું મારું અપમાન પણ મારા ઉદયને અર્થે થયું મસ્તક પર ફિલ્લો તે થયે પણ એથી અને શીતતા મળી. અહા પૂજયવર્ગો કરેલું અપમાન સારૂં, પણ નીચ જજોએ કરેલ સત્કાર સારો નથી; અરેગ્યથી થતી કૃશતા સારી, પણ વાયુથી ઉત્પન્ન થતું પીનત્વ સારૂં નથી. - શ્રેણિક સંબંધી આ સર્વ વૃત્તાન્ત એના પિતા પ્રસેનજિત રાજાએ જાયે કારણ કે અન્ય લેકે તે પિતાનાંજ નેત્રથી જુએ 1 પીળ કાઢેલી. 2 કપાળ. 3. (1) લાવણ્ય રસ અને રિ] લાવણ્યરૂપી જળ. જ્યાં દૂવૉકરો હોય ત્યાં રસ (જળ) હાયજ; અહીં (નંદામાં) (કેશરપા) દૂકુરો છે, માટે એનામાં રસ (લાવણ્ય) છે. 4 સાધુની અમુક ક્રિયાને પારસી કહે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust