Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ શાસ્ત્રપારગામી સ્વપ્ન પાઠકે. 105 લાગે–( કારણકે રાજાનું પ્રચંડ શાસન હોય તે પિતાને નિયમિત વખતે કેણુ નથી જાગતું?) “આ કંઈક રક્તમંડળવાળે તેજેનિધિ સૂર્ય આપની પેઠે . પિતાનાં સુકમળ કરવતી ભુવનનું પિષણ કરતો છતે ઉદય પામે છે. કાળરૂપી માળીની પુત્રી જ હોયની એમ આ દિનલક્ષ્મી પણ આપને જેવાને ઉત્સુક બની આપને માટે સૂર્યરૂપ પકવદાડિમ તૈયાર કરી રહી છે. " એ સાંભળીને મગધાધિપતિએ વિચાર્યું –અહે ! આ ચતુર બંદિજન આજે બહુ સરસ પાઠ બેલ; માટે નિશ્ચયે રાણીને કુળને ઉદય કરનારો પુત્ર થશે; અન્યથા ઉદય સંબંધી ફળનું આવી રીતે સૂચવને થાત નહીં. પછી વ્યાયામ કરીને, સુવાસિત તેલવતી મર્દન કરાવી એણે સુગંધી જળથી સ્નાન કર્યું, અને ચંદનાદિથી વિલેપન કર્યું. પછી દેવપૂજા કરીને, તિલક કરતી વખતે, એણે મસ્તકપર સુવર્ણને મુકુટ, કર્ણને વિષે ચલાયમાન કુંડળ, ઉર સ્થળને વિષે સ્થળ-નિર્મળ–અને ચળકતા મુક્તાફળને હાર, અને ભુજાઓને વિષે કેયૂર, એવાં એવાં આભૂષણો, જાણે તે તે સ્થળના બહુમાનને અર્થેજ હાયની એમ, ધારણ કર્યોવળી પ્રકષ્ટભાગ (પંચા) ને વિષે સુવર્ણનાં વલય પહેર્યા, તથા મૃદુતાને અર્થે અંગુલિને પણ મુદ્રિકાને મિષે સુવર્ણથી ભૂષિત કરી. વળી સંપ્રતિ, ભુવનને વિષે એના સમાન અન્ય કોઈ વીરપુરૂષ નથી એમ બતાવવાને એણે દક્ષિણ ચરણને વિષે વીરવલય ધારણ કર્યું એ પ્રમાણે સજ્જ થઈને એ, ઈંદ્ર જેમ સુધર્માને વિષે પધારે તેમ, દેવતા સમાન રૂપવંત મંત્રી અને સામંતોએ શોભાવેલી સભાને વિષે આવીને બેઠે. ત્યાં તેણે સ્વપ્નશાસ્ત્રના પારગામી એવા આઠ સ્વપાઠકેને બોલાવવાને સેવકને મોકલ્યા. એટલે એ પણ સ્નાન કરી, શરીરે વિલેપન તથા ભાલને વિષે તિલક કરી, મસ્તકને વિષે દધિ-વેત સરસવ-દૂવી તથા અખંડ અક્ષત રાખી, વેત વસ્ત્ર પહેરી ફળાદિ લઈ સભાને વિષે આવ્યા; અને એ ફળાદિક રાજાની આગળ ભેટ મૂકીને, એને આશીર્વાદ દઈ, એમને માટે મૂકી રાખેલા પીઠાસન પર બેઠા એટલે તેઓ મેરૂની સન્મુખ કુલાચળ પર્વતે શે તેમ રાજાની સન્મુખ શેભવા લાગ્યા. તે વખતે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust