Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 244 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, એને પકડી લેવાની સંજ્ઞા કરી. પણ જેવા એ સેવકે એને અટકાવવા ગયા તેવામાં દીવ્યરૂપ ધારણ કરીને પક્ષીની પિઠે ઉચે આકાશમાં જતો રહ્યો. એટલે એમણે આવીને એ વૃત્તાન્ત રાજાને નિવેદન કર્યું. તે પરથી વિસ્મય પામીને રાજાએ ત્રણજગતના સ્વામી વીરપ્રભુને પૂછયું--હે ભગવન, આ કેહીઓ તમને ચરણે પરૂ ચેપડી ગયે અને વળી હમણાં દિવ્યરૂપ લઈ આકાશમાં જતો રહ્યો-એ કોણ હતો ? ( શ્રેણિક રાજાને આ પ્રશ્ન સાંભળીને ) હસ્તકળને વિષે રહેલા આમળાની જેમ વિશ્વની સકળ વસ્તુને જાણનાર પ્રભુએ એનું વૃત્તાન્ત મૂળથી કહેવું પ્રારંભ કર્યું-- 'હે રાજા, ગાયે, વૃષ અને વલ્લે જ્યાં સુખે ચર્યા કરે છે એવા વત્સદેશને વિષે, જઘન્ય તેમજ ઉત્તમ લેકોની માતા હાયની એવી કૌશામ્બી નામે નગરી છે. તે નગરીના દેવમંદિરના શિખરેપર હાલતી દવાના વસ્ત્ર લોકોને આચારને વિષે તત્પર જોઈને પ્રીતિવડે નૃત્ય કરતે ધર્મ જ હોયની શું (એવા દેખાય છે!) શ્રીમંત અને ઉદાર નાગરિકેના ઉત્તમ ફરસબંધીથી શોભી રહેલા ગ્રહોને વિષે જે યક્ષમ હોય છે તે શિવાય નગરને વિષે અન્યત્ર કયાંય કર્દમ દેખાતું નથી. તેની, અનેક વસ્તુઓથી ભરેલી એક સરખી દુકાનને વિષે. દ્રવ્ય આપતાં સર્વ વસ્તુઓ મળે છે; " નથી " એ જ નથી મળતું. ત્યાં બંધ અને પાત ગુણશ્રેણિને જ છે; અને માયા-લેભ-મદ-ભય-શેક અને જુગુપ્સા કેવળ કર્મગ્રંથને વિષે જ છે; વળી વિતંડાવાદ, નિગ્રહસ્થાન, અધ્યક્ષબાધિત પ્રતિજ્ઞા અને છલ તર્કશાસ્ત્રમાં જ છે. પ્રજાને વિષે એમાંનું કંઈ નથી. ન આવી આ નગરીને વિષે, કલ્પવૃક્ષની પેઠે અથજનનાં મનવાંછિત પુરના અને શત્રુઓના સેંકડે સિન્યપર વિજય મેળવનારે શતાનીક નામને રાજ હતું. તે સમુદ્રના જે ગંભીર, મેરુપર્વત જે અચળ, વાયુના જેવો બળવાન અને સૂર્યના જે તેજસ્વી હતા. વળી તે અમૃતસમાન મધુર, ચંદ્રમા દશ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust