Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર, પ્રદક્ષિણા દઈ નમસ્કાર કરીને વિજ્ઞાપના કરી કે-હે જિનેશ્વર અદ્યાપિં હું ચારિત્ર લેવાને સમર્થ નથી; કારણકે વૃષભથી વહન થઈ શકે એટલે ભાર ધારણ કરવાની લ્હાના વાછરડામાં શક્તિ હેતી નથી. માટે હે સ્વામી, મારા પર કૃપા કરીને મને શ્રાદ્ધ ધર્મ અંગીકાર કરાવે; કારણકે કલ્પદ્રુમ દુર્લભ હોય તેથી શું આમ્રવૃક્ષ પણ અપ્રાપ્ય કહેવાય ? એ પરથી દેવાધિદેવ શ્રી વીર પ્રભુએ તેને મેગ્ય એવો ધર્મ તેને અંગીકાર કરાવ્યા; કારણકે જિનેશ્વર મહારાજા નિત્ય લેકેને અનુરૂપ ધર્મજ ગ્રહણ કરાવે છે. * હવે અભયકુમારે શ્રાદ્ધધર્મ અંગીકાર ક્યાં પછી “મેઘકુમાર પણ ઉભું થઈને પ્રભુને નમી અંજલિ જેડી ભક્તિકે મળવાણી વડે કહેવા લાગ્યા...હે સ્વામી, જન્મ-જરા-અને મૃત્યુ-રૂપી મસ્યોથી સંપૂર્ણ એવા આ ભવસાગરથી નિર્વેદ પામેલા એવા મને દિક્ષારૂપી નિકા આપ. હું હમણાં મારા માતાપિતાની આજ્ઞા માગી લઈને આપના ચરણકમળ સમીપ પ્રત્રજ્યા ગ્રહણ કરીને પુપની જેમ મારા જન્મને સફળ કરીશ. શ્રી જિનેશ્વર ભગવંતે તે પરથી કહ્યું–હે દેવાનુપ્રિય, તારી એ ઈચ્છા નિવિદને પરિપૂર્ણ થાઓ; તારે હવે કયાંય પણ પ્રતિબંધન કરવું નહિં. જે તીર્થકર મહારાજા શત્ય, તાપ, ક્ષુધા કે તૃષાના ભયની અવગણના કરીને સતત ધર્મદેશના આપ્યા કરે અને સર્વ આયુષ્ય પણ ત્યાં જ ખપાવે તે પણ વખતે શ્રોતામાંથી કઈ પણ નિર્વેદ ન પામે ( સંસાર ત્યજે નહિ. ) પણ ભગવાને તે શરીરને શ્રમ દર કરવાને દેવછન્દને આશ્રય લીધે. કારણકે એમની પણ કાયાને શ્રમ થાય છે. - હવે પછી કૃતકેવલી તમસ્વામીએ પ્રભુના પાદપીઠ પર બેસીને દ્વિતીય પિરૂષીને વિષે દેશના આપી. લેકેને એમના અસંખ્યભની યથાપ્રકારે પ્રતિપત્તિ કરાવીને એમણે એમના વિવિધ પ્રકારના સંશયે ટાળ્યા છે, પણ એ કેવળી નથી એમ : 1 મી પવિત્ર જ એમ સૂત્રપાઠ છે. પ્રભુને કહેવાની મતલબ એ છે કે હવે તું ક્યાંય પણ રાગ કરીશ નહિ.” P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust