Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 152 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. સતિષ પામે, અને તુષાતુર હવાથી પરિણામ વિચાર્યા વિના એ કાદવવાળા સરોવરને વિષે અવળે માર્ગો પેઠે; અથવા તે વ્યથાથી પીડાતા પ્રાણીઓ મતિશૂન્ય થઈ જાય છે. અવળે માગે પિસવાથી તું, મહા આરંભના કરનારા પ્રાણીઓ દુર્ગતિના સાગરને વિષે ખુંચી જાય છે તેમ, અગાધ કાદવમાં ખેંચી બેઠે; અને મહા મોહને વશ એ જીવ ઘરરૂપી ન્યાસમાંથી નીકળી શકતા નથી તેમ, એ કાદવમાંથી તું લેશમાત્ર પણ નીકળી શક્યો નહીં. ત્યાં અગાઉ વાસ કરી રહેલે એક પ્રતિસ્પદ્ધ હસ્તી પિતાના બે દશળથી તને નદીના તટની જેમ પીઠ પર પ્રહાર કરવા લાગ્યા. એ પ્રહારની વેદના તે વર્ષ વર્ષ જેવડા સાત દિવસ સુધી સહન કરી, અંતે તારૂં સર્વ એકનેવીશ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી તે આર્તધ્યાને મૃત્યુ પામ્યું; અને પુનઃ પણ વિધ્યાટવીની તલાટીને વિષે હસ્તીપણે ઉત્પન્ન થયે; કારણકે એ આધ્યાન તિર્યંચની ગતિને આપનારું છે. હે મેઘકુમાર, તારા એ ભવમાં પૂર્વની જેવાજ ગુણવાળો અને ચાર દન્તુશળવાળો તું સાતસોને પચાસ હસ્તીના યૂથને સ્વામી થઈ મેરૂપ્રભ નામે વિચરવા લાગ્યા. એકવાર દાવાનળ સળગેલે જોઈને તને, વૃદ્ધાવસ્થાના માણસને - વનને વિષે અનુભવેલું યાદ આવે છે તેમ તારી પૂર્વજાતિનું મરણ થયું. એટલે મેં તારા યૂથ સહિત ગંગાને તીરે, ચતુરંગસેના યુક્ત ભૂપતિ શત્રુવને ઉમૂલન કરે તેમ, વૃક્ષાદિને ઉન્મેલન કર્યો. અને ત્યાં ચતુમાસને વિષે મુનિ કરે છે તેમ તે આત્માની રક્ષાને અર્થે ત્રણ અતિ વિસ્તારવાળા ઈંડિલ બનાવ્યાં. પછી ત્યાં ઉગેલા દરેક તરણને જિનકલ્પી મુનિ પજુસણ ઉપર પ્રત્યેક કેશને ટુંપી કાઢે છે તેમ, ઉખેડી નાંખ્યાં. તે ત્રણે Úડિલને તે હથેળી જેવાં, માણસના કેશ વિનાના મસ્તક જેવા અથવા કહો કે દર્પણભૂમિ જેવાં સ્વચ્છ અને સાફ કર્યો. એવામાં એકવાર પુનઃ દાવાનળ પ્રકટ્યો એટલે તું ભયભીત ભિક્ષુ જેમ પર્વત પર 1 મંડળ મુનિ પણ ચેમાસામાં લઘુનીતિ, વડીનીતિ અને આહારને માટે ત્રણ સ્થાપ્તિ રાખે છે. P.P.AC. Gunrannasur M.S. Jun Gun Aaradhak Trust