Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ તુજાર તપશ્ચર્યો. ૧પપ આદ્રતા કરીને જાણે કાયાને વિષે પણ એ આદ્રતા કરવાની ઈચ્છા રાખ હેય એમ, હયુ સહિત પ્રભુની પ્રદક્ષિણા કરી. વારંવાર પ્રભુને નમસ્કાર કરીને તેણે “મિચ્છાદુકૃત " દીધું; કારણકે વિપકાર્ય થઈ ગયે ને મડાત્માપુરૂને અત્યંત પશ્ચાત્તાપ થાય છે. પછી એણે પ્રભુને વિજ્ઞાપના કરી કે “હે વિશ્વસ્વામિન, હવેથી હું આ મારાં બે નેત્રે શિવાય શેષ અંગ મુનિઓને આપી દઉં છું. એ અંગને, સેવકજનને જેમ સ્વામી ઉપયોગ કરે છે તેમ, આ સર્વ મહાત્મા સાધુઓ યથારૂચિ ઉપયોગ કરે. " પછી એણે પિતાને આ ખગ્નધારાસમ અભિગ્રહ યાજજીવ પાજે. * ત્યાર પછી એ નિરંતર ભગવંતની સાથે પૃથ્વીતળપર વિહાર કરવા લાગે; કારણકે ક૯પવૃક્ષ સેવવાનું મને છતે કો માણસ દૂર જાય છે ? એણે અગીયારે અંગેને ગુરૂ સમક્ષ અભ્યાસ કર્યો; કારણકે તેમના ઉપદેશ વિના મૂળાક્ષરને પણ બંધ થતું નથી. વળી જીવરક્ષાને વિષે તત્પર રહીને એ નિરન્તર વિવિધ તપશ્ચર્યા કરી; કારણકે એ ( જીવરક્ષા) વિના કરેલે તપ અંધપુરૂષ આગળ રજુ (દેરડું ) હોય એવે છે. એક સંવત્સર ઉપરાંત એણે “ગુણરત્ન” તપ કર્યો. એ તપ, ચંદ્રમાની જેટલી કળાઓ છે તેટલા અથોત સેળ માસ પર્યન્ત કરે પડે છે. પહેલા માસને વિષે એણે અકેક દિવસને આંતરે ઉપવાસ કર્યા તથા દિવસે ઉભુટક આસને અને રાત્રીએ વીરાસને રહેવા માંડયું. બીજા માસને વિષે બેબે ઉપવાસ અને ત્રીજાને વિષે ત્રણ ત્રણ-એમ સેળમાં માસને વિષે સેળ ઉપવાસ સુધી વધાય; અને પ્રથમ માસને વિષે જે પ્રમાણે બેવડું આસન ધારણ કર્યું હતું તે જ પ્રમાણે સર્વે માસને વિષે પણ નિરંતર પ્રતિપાદન કર્યું. એમ ચારસોને એંશી દિવસ પર્યત એણે ઉગ્ર તપ કર્યો કારણકે સત્વવંત પ્રાણીઓને કંઈ દુષ્કર નથી. પછી એણે દ્રવ્યથી અને ભાવથી સંલેખના કરી; કારણકે જેમ વણના સંબધમાં બને છે તેમ, અહિં પણ અન્તઃશુદ્ધિ વિના બાહ્ય શુદ્ધિ થતી નથી. તેમાં શરીરની, અસ્થિ અને અમને વિષે અવશેષતા એ પહેલી દ્રવ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust