Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ વધૂનાં વસ્ત્રાલંકાર. આમ બેલીને સ્ત્રીજને અતિ હર્ષ સહિત પરસ્પર ઉત્સાહ વધારતી બહુ ઝડપથી પિતાપિતાનાં કાર્યો કરવા લાગી; કારણકે એમને એક બીજાને કામ કરતી જોઈને બહુ આનંદ ઉપજે છે. તે વખતે મધુર કંઠવાળી સ્ત્રીઓ પૂરતાનમાં ધવળમંગળ ગાવા લાગી અને બીજી સન્નારીઓ સુસેનાની પુત્રીને પીકિ ઉપર બેસારીને ઉત્તમ તેલવડે અત્યંગ કરવા લાગી. પછી કમળ હસ્તવાળી સ્ત્રીઓએ તેને સર્વોગે પીઠી ચોળી. ત્યાર પછી બીજી શેષ વિધિ કરવાને અર્થે તેને એકાતે લઈ જઈ એક ઉંચી માંચી આણી ચારે ખુણે સુજ્ઞસ્ત્રીઓએ રંગની પુડલીઓ મૂકી; અને કન્યાને હર્ષસહિત ઉત્તમ કસુંબાના વસ્ત્ર પહેરાવ્યાં. પછી રતિ અને પ્રીતિના જેવી રૂપવતી એ વિદ્યાધરપુત્રીને એ માંચી ઉપર બેસારી ઉત્તમ વાવાળી સૈભાગ્યવતી સ્ત્રીઓએ તજનીવડે તિલક કર્યો. પછી તરાકના કાંતેલા, કસુંબા જેવા લાલ સૂત્રને તેના દક્ષિણ અને વામ જાનુએ સ્પર્શ કરાવ્યે; એ પ્રમાણે તેને વર્ણકમાં નાંખી, ને પછી તેની ઉદ્ધવણુંક કરવા માંડી તે આ પ્રમાણેઃ તેને સ્નાન કરવાના આસન ઉપર બેસારીને સુવર્ણના કુભમાંથી જળસ્નાન કરાવ્યું અને તેના ભીના કેમળ શરીરને રૂંવાટાવાળા વસ્ત્રવડે લુછી કેરું કર્યું, જળથી ભરેલા કેશને પણ વળ દઈ દઈને નીચેવ્યા તેમાંથી મુક્તાફળ જેવાં જળબિંદુઓ ટપકવા લાગ્યા, તે જાણે ગાયના સ્તનમાંથી દેહવાતી હીરની ધારાજ હેયની ! પછી એના કેશપાશને સુવાસિત કરવાને અર્થે સુગંધી ધપ વડે ધૂપ કર્યો; લાક્ષારસવડે હાથપગ રંગ્યા અને અંગે કેસરને લેપ કર્યો. બન્ને ગાલ ઉપર કામદેવના યશવર્ણન જેવી સુંદર પીળ કાઢી અને નેત્રમાં અંજન આયું. આમ પ્રત્યેક અંગે અનંગને તીવ્ર કર્યો. તેના લલાટને વિષે ઉત્તમ ચંદનનું તિલક કરવામાં આવ્યું તે જાણે અષ્ટમીના ચંદ્રમાના ભ્રમથી ત્યાં આદ્રો (નક્ષત્ર આપ્યું હેયની, અથવા મંત્રીધર (અભયકુમાર) ની (થનારી) પત્ની પાસેથી બુદ્ધિ પ્રાપ્ત કરવાને ઇંદ્રને મંત્રી 1 વર્ણક-પીઠી. વણકમાં નાખી=પીટીઆતી કરી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust