Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 2 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. (બહસ્પતિ) આવ્ય હાયની ! વળી તેમણે પ્રસરી રહેલી સુવાસ વાળો અને પુષ્પથી ગતિ એ એને અંડે રચે, કે જેને વિશે, તપશ્ચર્યા કરતે સ્વેચ્છાચારી કામદેવ જાણે વાસ કરતે હેયની ! ત્યારપછી ચક્ષુને એકદમ સ્થિર કરનારા અર્થાત અત્યંત મનોહર એવા ઉજ્વળ વ તેને પહેરાવ્યાં, અને મસ્તકપર પુષ્પને મુકુટ બાયે. કારણકે શીષ–એ સર્વ ગાત્રામાં પ્રધાન છે. વળી કર્ણને વિષે પણ દાસીજનોએ શોભાને અર્થે આભૂષણ પહેરાવ્યાં; કારણકે જનસમૂહને અન્ય કૃતિ ( વેદ ) પણ પૂજ્ય છે તે પિતાની કૃતિ | શ્રવણ-કાન | પૂજ્ય હોય તેમાં તે શું કહેવું? વળી તેમણે એના કાનના નીચલા ચાપકાને વિષે, સ્કંધ ઉપર વિશ્રામ લેઈ ઝુલતા, કુંડળ પહેરાવ્યાં, તે જાણે તેના મુખ રૂપ ચંદ્રમાના ભ્રમથી રખે ત્યાં રાહુ આવે એને ભય પમાડવાને વાતે બે ચકો | રાખ્યાં ] હેયની ! ત્રણ રેખાએ યુક્ત એવા એના કંઠને વિષે પણ તેમણે સુવર્ણની કંઠી પહેરાવી એ પણ ઠીક કર્યું કારણકે શંખ ઉપર વિજય મેળવવાથી યશ પામેલા એ કંઠને એવું આભૂષણ જોઈએ જ. શ્રેષ્ઠ અને પાણીદાર મુક્તાફળને, નાભિ સુધી લટકતે હાર એના હૃદયને વિષે વિરાજવા લાગ્યા; તે જાણે એના નાભિકુપમાં રહેલા લાવણ્યજળને કાઢવાને ઘટીયંત્ર માંડેલું હાયની (એ લાગતો હતો ) ! તેના ગરવણું બાહુને વિષે રહેલાં, હેમમય ઈદ્રનીલમણિજડિત, કેયૂર ઉત્કટપની વાસથી નવા પદ્મનાલની બ્રાન્તિએ કરીને, આવીને લાગેલા મધુરની પંક્તિ હેયની એવાં દીપી રહ્યાં હતાં. વળી એ સ્ત્રીઓએ એના હસ્તને વિષે મુક્તાફળજડિત સવર્ણના ઉત્તમ કંકણના મિષે ચરણ અને મસ્તકને કમળાની સામે વીરપટ્ટ બાંધે હાયની ! તેની સર્વ આંગળીઓને વિષે સારી રીતે બંધબેસતી વજીની મુદ્રિકાઓ પહેરાવી તે જાણે કામદશાથી વિરક્ત રહેલા વિધિરૂપી રાજા પાસેથી તેણે મેળવેલી મુદ્રા અથવા લેખ હાયની ! એના કટિપ્રદેશને વિષે મણિની મેખલા પહેરાવી તે P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust