Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ પાણિગ્રહણ-મંત્રીશ્વરની પદવી. જોઈને હર્ષમાં આવીને બને પિતાની મેળે મળ્યા હોયની ! ત્યાર પછી અભયકુમારે સદગુણોનું એકજ સ્થાન એવી વધુની સાથે વેદિકાને વિષે પ્રવેશ કર્યો, જેવી રીતે સંસારી જીવ ભવ્ય એવી ભવિતવ્યતાને પામીને નનિને વિષે પ્રવેશ કરે તેમ. પછી " ધ્યાનરૂપી અગ્નિને વિષે કર્મરૂપી ધાન્યને આ પ્રમાણે પ્રક્ષેપવા (ખપાવી નાખવા) " એમ બેલી બ્રાહ્મણે મંત્રોચ્ચાર સહિત અગ્નિને વિષે સાત ધાન્ય નાંખ્યા-ફેંક્યા તેથી અગ્નિ પ્રજ્વલિત થયે એટલે કુમારે વધુ સહિત તેની પ્રદક્ષિણા કરી. તે વખતે તે દેદીપ્યમાન મેરૂપર્વતની પ્રદક્ષિણું કરનાર છાયાયુક્ત સૂર્યજ હાયની એ શોભી રહ્યો ! ચારે મંડળને વિષે ફરતી વખતે તેણે ઉત્તમ હસ્તી, અશ્વ ઈત્યાદિ મેળવ્યા. અથવા તે ફરીફરીને મેળવ્યું એમાં આશ્ચર્ય શું ? એ તો હવે બેઠાબેઠાંજ અનેક મંડળ (દેશ)માંથી ઘણું ઘણું ભેટ મેળવશે. અગ્નિની સાક્ષીવાળા ચેથા મંડળમાં ફરતી વખતે, વરરાજા પાસેથી બક્ષિસ લેવા, એના સાળાએ એને પાદાંગુષ્ટ–અંગુઠે ભી રાખે; જેવી રીતે અમાસને ચંદ્રમા સૂર્યના પાદ ભી રાખે છે તેમ. એટલે રાજકુમારને તેના માણસે કહેવા લાગ્યા-દીન, દુઃખી, દયાનાસ્થાન અને તમારા ચરણકમળ લાગેલા એવા આ ગરીબને કંઈ આપીને સંતેષ પમાડે. તે પરથી બાળક એવા કુમારે પણ તેને ધાયોથી પણ અધિક ધન આપ્યું; કારણ કે ન્હાને સરખો કુવો પણ માણસને યથેચ્છ જળ આપેજ છે. કરમચન સમયે કુમારને અસંખ્ય દ્રવ્ય આપવામાં આવ્યું કારણકે કરી મૂકાવ એ રાજાઓને કીર્તિયુક્ત શાશ્વત ધર્મ છે. જે વખતે કરમોચન કરવામાં આવ્યે તે જ વખતે બ્રાહ્મણે વસ્ત્રના છેડા પણ છોડ્યા. કારણ કે એકજ ગે થયેલ કાર્યોની પ્રવૃત્તિ કે નિવૃત્તિ સાથેજ થવી જોઈએ. પછી “સ્ત્રીજન તે સર્વ જગની પાછળ લાગેલજ છે” એવું સૂચવતે હોયની એમ વરરાજા ( અભયકુમાર ) વધુને પાછળ બેસારીને આગળ પિતે ગિરિસમાન અશ્વપર આરૂઢ થયે. જનસમૂડને વિષે આનન્દ અને 1 કિરણ. 2. અહિ, કરવેર Tax. 3 છેડાછેડી છેડી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust