Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ 92 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. જોઈએ. અથવા તે સ્વામીના કાર્યને વિષે જેઓ પોતાના જીવિતને અર્પણ ન કરે તેને શું સેવક ગણવા? આવાં આવાં વચને કહીને કુમારે તેમના શોકને પરિહાર કર્યો; કારણકે મંત્રવિજ્ઞ પુરૂષ ઉત્કૃષ્ટમંત્રને પ્રવેશ કરે ત્યાં વિષ કેટલો કાળ ટકી રહે ? પછી રાજા તેમની સાથે આદર સહિત સંભાષણ કરી સ્વસ્થાનકે ગયે; કારણકે જેમના પુત્રોએ તેના ઉપર આ ઉપકાર કર્યો તેમને આટલે પણ લાભ ન હોય? અનુકમે જન્માક્તરને વિષે ઉપાર્જન કરેલા પુણ્યકર્મને લીધે જેની સર્વ મનકામના સિદ્ધ થતી હતી એ એ રાજા, હરિ જેમ લક્ષ્મીની સંગાથે તેમ, ચેલૂણાની સંગાથે સુખ ભોગવવા લાગે. - હવે, આ જ ખંડને વિષે વસંતપુર નામના નગરમાં પૂર્વે જિતશત્રુ નામને રાજા હતા. તેણે મહેટા, ગર્વવાળા, બલવાનું અને દુષ્ટ શત્રુઓને જીતીને પિતાના નામને યથાર્થ કર્યું હતું. એ રાજાને અમરસુંદરી નામની રાણી હતી, જેનાથી ભય પામીને જ જાણે અમરસુંદરી (દેવીઓ) સ્વર્ગને વિષે જતી રહી હતી ! એમ કે આપણું રૂપ તે એણે હરી લીધું છે, રખે વળી આપણી અનિમેષતા પણ લઈ જશે ! આ દંપતીને સુમંગળ નામને પુત્ર તે જાણે એકદમ નવીને મંગળ હેયની એ હતો; કારણકે એ આકૃતિએ જેમ ભવ્ય હિતે તેમ એનામાં મૂળથીજ રાગ પણ હતઃ એના મસ્તક પર ઉત્તમ છત્રનું ચિન્હ હતું; એનું મુખ પૂર્ણિમાના ચંદ્ર જેવું હતું નેત્ર વિશાળ હતાં; કર્ણ લાંબા હતા, નાસિકા સરલ અને ઉંચી હતી; અને દંતશ્રેણિ કુંદપુષ્પની જેવી અતિઉજજવળ હતી. વળી એના ઓષ્ટબિંબ, ચરણ અને હસ્તકમળ કંઈક રક્ત હતા; કંઠપ્રદેશ વર્તુળાકારે ગેળ હતું, અસ વૃષભની જેવા ઊનત હતા; બાહુ જાનુપર્યન્ત - 1 દેવતા અનિમેષચક્ષુવાળા હોય છે એટલે કે એમના ચક્ષુ નિમેષ-રહિત હોય છે-મટકું મારતા નથી એ જે એમનાં ચક્ષને ગુણ તે અનિમેષતા. 2 એવાં ચિહે કે જેનાથી યુક્ત એ માણસ ભવિષ્યમાં રાજા થશે એમ કહેવાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust