Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ ધર્મ-પાંચ પ્રકારની શુદ્ધિ. | ভ9 તને કેઈએ ઠગી છે અથવા વૃદ્ધાવસ્થાને લીધે તું કંઈ ચળી ગઈ છે ? કે જેથી તું આવી વિપરીત વાત સમજાવે છે ? તું જલશુદ્ધિ એજ ધર્મ " એમ જે કહે છે તે સત્ય નથી. શુદ્ધિ તે પાંચ પ્રકારે છે–પ્રથમ દયાશુદ્ધિ, બીજી સત્યવચનશુદ્ધિ, અને ત્રીજી તપાશુદ્ધિ છે; એથી શુદ્ધિ પિતાની ઇન્દ્રિય ઉપર વિજય મેળવવો એ છે; અને જળશુદ્ધિ તે છેલ્લી છે. પહેલી ચાર શુદ્ધિ વિના જળશુદ્ધિ ગમે એવી રીતે કરે તો પણ પાપરૂપી પંકથી લેપાયલે આત્મા મદ્યના પાત્રની જેમ શુદ્ધ થતા જ નથી. હે દુષ્ટ બુદ્ધિવાળી ! જે જળને વિષે પડી તેને ખુબ મંથન કરવાથીજ ધર્મ સધાતો હોય તે તે જળમાંજ રહેનારા શિશ માર-મસ્ય-બક આદિ પ્રાણીઓ સિાથી પ્રથમ સ્વગે જાય. જે જળથીજ પરલોકસિદ્ધિ થાય છે તે તે આ દંભરૂપ પાખંડ કેમ આદર્યો ? દેડકીની પેઠે નદીના જળમાં તું કેમ નથી પડી રહેતી ? પવિત્ર અને માનયુક્ત જળથી શુદ્ધિ કરી જિનો પદિષ્ટ માર્ગને વિષે પ્રવર્તનાર પ્રાણીઓ જ સંસારસાગરને તરી જાય છે; પણ તારા જેવા પ્રાણીઓ તે બીજાઓને સાથે લઈને ડુબે છે. એ સાંભળીને તાપસીમાં તે ઉત્તર આપવાનું સામર્થ્ય રહ્યું નહીં, તેનું ચિત્ત વિલક્ષ બની ગયું અને તેણે મન ધારણ કર્યું. કારણકે જગને વિષે સૂર્યની પ્રભા સ્કુરાયમાન થાય એટલે પતંગીઆની કાન્તિને ક્યાંથી અવકાશ મળે ? પછી પિતાની સ્વામિનીના મતને વિજય થશે તેથી હર્ષ પામેલી અંતઃપુરની દાસીઓ શોર મચાવી મૂકી પરસ્પર તાળી દેવા લાગી, અને ' ન્હાનાં બાળકે કેઈ ઘેલી થઈ ગયેલી સ્ત્રીને હસે તેમ, હેટેથી તેને ઉપહાસ કરવા લાગી; એટલુંજ નહિં, પણ, એમ થવાથી નિસ્તેજ થઈ ગયેલા મુખવાળી તે તાપસીને સાયણની જેમ કંઠેથી પકડીને બહાર કાઢી મૂકી અને બિચારી દુઃખી તો હતી તેને વળી વધારે દુઃખી કરવાને ચુંટવા માંડી ( પડ્યા ઉપર પાટુને માર પડ્યો ). આમ થવાથી તે વિચારવા લાગી–અહા ! આમણે પણ મારે તિરસ્કાર કર્યો ? રાજની આવી વિદ્વાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust