Book Title: Abhaykumar Mantri Jivan Charitra Part 01
Author(s): Chandratilak Upadhyay
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund
View full book text
________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. - એકદા અભયને કઈ બાળક સાથે કલહ થયે; કારણકે સબત છે તેજ પ્રાયઃ દ્વેષ કરાવનારી છે. પેલાએ કહ્યું–અભય, તેને પાંચ અક્ષર આવડ્યા ત્યાં તે અનાજના કણથી ઉંદર જ જેમ, તેમ તું તને મહટ થઈ ગયે માને છે! તું બુદ્ધિમાં બૃહસ્પતિ તુલ્ય છે તે, શિવના પિતાની જેમ તું તારા પિતાને પણ જાણતા નથી એનું તું શું કહીશ ? અભયે કહ્યુંભાઈઓ, મારા પિતા ભદ્રષ્ટી છે કે જેઓ સૂર્યની જેમ સકળ ભુવનને વિષે પ્રસિદ્ધ છે. એ સાંભળીને એક જણે કહ્યું–હે માતૃપત્રક, એ તે તારી માતાના પિતા છે; પણ સત્ય છે-તું બાળક હોવાથી તારા માતામહને તારા પિતા સમજે છે. એમાં શું આશ્ચર્ય કે બાળકે કિંચિત્ પણ મુખ મીઠું કરાવે એમનાજ થાય છે, જેમકે શ્વાન. એ સાંભળીને સંશય ઉત્પન્ન થવાથી, અભયે જઈને માતાને પૂછયું–હે માતા, મારા પિતા કેણ છે તે કહે. નન્દાએ ઉત્તર આપ્યો-જેમ બુધને પિતા ચંદ્ર છે તેમ તારાપર હાલ રાખનાર ભદ્રષ્ટી તારા પિતા છે. પણ વાચાળ અભય બેલી ઉદ્યો–માતા, એ તે તારા પિતા છે; માટે ગુરૂ શિષ્યને કહે તેમ, આ વાતનું તું મને રહસ્ય કહે. અથવા તે તેં આ બુધ અને ચંદ્રમાનું દૃષ્ટાન્ન આપ્યું તે સમાનતાને લીધે તું નિશ્ચ આ વાતનું પ્રતિપાદન કરેજ છે; કારણકે જીલ્ડા છે તે સત્ય બોલનારી છે. માટે જેમ [ પુત્ર એવો | બુધ મંડળને વિષે રહે છે અને (પિતા-) ચંદ્રમા અન્ય દેશને વિષે ફો કરે છે; તેમ હું આ ભદ્રશ્રેષ્ઠીના ઘરમાં છું, પણ મારા પિતા તે દેશાન્તરને વિષે છે. એ પછી નદીએ નેત્રમાં અર્થ સહિત ગદ્ગદ્ વાણીએ ઉત્તર આપે-મેઈલ સાક્ષાત દેવકુમાર 1 આશ્ચર્ય છે કે ભદ્રશ્રેષ્ઠી, લગ્ન સમયે પણ, નન્દાના પાણિગ્રહણ કરનારનું નામ ઠામ સુધ્ધાં જાણવાની તકલીફ લેતા નથી–એટલું જ નહિ પરંતુ જમાઈ થઈ પિતાના જ ઘરમાં રહીને નન્દાને ગર્ભવતી મુકીને જાય છે ત્યારે પણ એને વિષે કંઈ પણ પૃચ્છા થઈ હોય એવું કવિ જણાવતા નથી. વળી જેમાં શું છે તે પત્ની જાણતી સુદ્ધાં નથી એવો એક કાગળને કટકે આપી જતાં, પતિ જાણે પિતાનું સર્વસ્વ ગર્ભવતી પત્નીને આપીને સંતોષ પમાડી પોતાની ફરજ અદા P.P. Ac. Gunratnasuri M.S.