Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
४७८ -
રાગ || | રાગ
D રાગ વિના સંસાર નથી અને સંસાર વિના રાગ નથી. (પૃ. ૧૨૮) || ઇછામાત્રની નિવૃત્તિ કરો. સર્વત્ર કિંચિત્માત્ર પણ રાગ કરો મા; કેમકે વીતરાગ ભવસાગરને તરે છે.
(પૃ. ૧૯૫). જો ન ચાલે તો પ્રશસ્ત રાગ રાખો, પણ મને પોતાને, તમ (શ્રી જૂઠાભાઈ) સઘળાને એ રસ્તે આધીન ન
કરો. (પૃ. ૧૭૭) 0 તીર્થંકરદેવે રાગ કરવાની ના કહી છે, અર્થાત્ રાગ હોય ત્યાં સુધી મોક્ષ નથી. ત્યારે આ પ્રત્યેનો
(પરમકૃપાળુદેવ પ્રત્યેનો) રાગ તમને બધાને (શ્રી અંબાલાલભાઈ વગેરેને) હિતકારક કેમ થશે? (પૃ. ૨૩૦) ગૌતમસ્વામીના બોધેલા કેટલાક શિષ્યો કેવળજ્ઞાન પામ્યા છતાં ગૌતમ પોતે કેવળજ્ઞાન પામતા નહોતા, કારણ ભગવાન મહાવીરનાં અંગોપાંગ, વર્ણ, વાણી, રૂ૫ ઇત્યાદિક પર હજુ ગૌતમને મોહિની હતી. નિગ્રંથ પ્રવચનનો નિષ્પક્ષપાતી ન્યાય એવો છે કે, ગમે તે વસ્તુ પરનો રાગ દુઃખદાયક છે. રાગ એ મોહિની અને મોહિની એ સંસાર જ છે. ગૌતમના દયથી એ રાગ જ્યાં સુધી ખસ્યો નહીં ત્યાં સુધી તેઓ કેવળજ્ઞાન પામ્યા નહીં. પછી શ્રમણ ભગવાન જ્ઞાતપુત્રે જ્યારે અનુપમેય સિદ્ધિને પામ્યા, ત્યારે ગૌતમ નગરમાંથી આવતા હતા. ભગવાનના નિર્વાણ સમાચાર સાંભળીને તેઓ ખેદ પામ્યા. વિરહથી તેઓ અનુરાગ વચનથી બોલ્યા : “હે મહાવીર ! તમે મને સાથે તો ન લીધો, પરંતુ સંભાર્યો નહીં. મારી પ્રીતિ સામી તમે દ્રષ્ટિ પણ કરી નહીં ! આમ તમને છાજતું નહોતું.” એવા તરંગો કરતાં કરતાં તેનું લક્ષ ફર્યું ને તે નીરાગ શ્રેણિએ ચઢયા. “હું બહુ મૂર્ખતા કરું છું. એ વીતરાગ નિર્વિકારી અને નીરાગી તે મારામાં કેમ મોહિની રાખે ? એની શત્રુ અને મિત્ર પર કેવળ સમાન દ્રષ્ટિ હતી. હું એ નીરાગીનો મિથ્યા મોહ રાખું છું. મોહ સંસારનું પ્રબળ કારણ છે.” એમ વિચારતાં વિચારતાં તેઓ શોક તજીને નીરાગી થયા. એટલે અનંતજ્ઞાન પ્રકાશિત થયું; અને પ્રાંતે નિર્વાણ પધાર્યા. ગૌતમમુનિનો રાગ આપણને બહુ સૂક્ષ્મ બોધ આપે છે. ભગવાન પરનો મોહ ગૌતમ જેવા ગણધરને દુઃખદાયક થયો, તો પછી સંસારનો, તે વળી પામર આત્માઓનો મોહ કેવું અનંત દુઃખ આપતો હશે !
(પૃ. ૯૦) T જેના દ્ધયને વિષે અણુમાત્ર પરદ્રવ્ય પ્રત્યે રાગ વર્તે છે, તે સર્વ આગમનો જાણનાર હોય તોપણ
સ્વસમય નથી જાણતો એમ જાણવું. (પૃ. ૫૯૫) T બાહ્ય કુટુંબ ઉપર રાગ કરશો નહીં. અત્યંતર કુટુંબ ઉપર રાગ કરશો નહીં. (પૃ. ૧૧) | અંઘ કોણ? કામી અને રાગી. (પૃ. ૧૫) |g રાગદ્રષ્ટિથી એકે વસ્તુ આરાધું નહીં. (પૃ. ૧૩૯)
જ્ઞાનીને જ્ઞાનવૃષ્ટિથી, અંતર્દ્રષ્ટિથી જોયા પછી સ્ત્રી જોઇને રાગ ઉત્પન્ન થાય નહીં, કારણ કે જ્ઞાનીનું સ્વરૂપ વિષયસુખકલ્પનાથી જુદું છે. અનંત સુખ જાણ્યું હોય તેને રાગ થાય નહીં; અને જેને રાગ થાય નહીં તેણે જ જ્ઞાનીને જોયા, અને તેણે જ જ્ઞાનીપુરુષનાં દર્શન કર્યા, પછી સ્ત્રીનું સજીવન શરીર