Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir

View full book text
Previous | Next

Page 723
________________ વિચારસાગર (ચાલુ) ૬૯૬ છે, એવા વિચારસાગર, સુંદરદાસના ગ્રંથ, આનંદઘનજી, બનારસીદાસ, કબીર, અખા વગેરેનાં પદ) ગ્રંથનો પરિચય રાખવો, અને એ સૌ સાધનમાં મુખ્ય સાધન એવો શ્રી સત્યરુષનો સમાગમ ગણવો. (પૃ. ૩૭૩) | વૈતાલીયઅધ્યયન જેમાં પૃથ્યાદિકનો વિસ્તારથી વિચાર કર્યો છે એવાં વચનો કરતાં “વૈતાલીયઅધ્યયન જેવાં વચનો વૈરાગ્યની વૃદ્ધિ કરે છે; અને બીજાં મતભેદવાળાં પ્રાણીને પણ તેમાં અરુચિ થતી નથી. (પૃ. ૨૬૬). શાંતસુધારસ વૈરાગ્યભાવનાએ ભૂષિત એવા “શાંતસુધારસાદિ ગ્રંથો નિરંતર ચિંતન કરવાયોગ્ય છે. (પૃ. ૩૧૩). D “શાંતસુધારસમાં કહેલી ભાવના, “અધ્યાત્મસાર'માં કહેલો આત્મનિશ્રયાધિકાર એ ફરી ફરી મનન કરવા યોગ્ય છે. એ બેનું વિશેષપણું માનવું. (પૃ. ૩૧૮). 1 શ્રી “શાંતસુધારસ'નું પણ ફરી વિવેચનરૂપ ભાષાંતર કરવા યોગ્ય છે, તે કરશો. (પૃ. ૬૭૨). " | શિક્ષાપત્ર “શિક્ષાપત્ર' ગ્રંથમાં મુખ્ય ભક્તિનું પ્રયોજન છે. ભક્તિના આધારરૂપ એવા વિવેક, ધૈર્ય અને આશ્રય એ ત્રણ ગુણનું તેમાં વિશેષ પોષણ કર્યું છે. તેમાં ધૈર્ય અને આશ્રયનું પ્રતિપાદન વિશેષ સમ્યક્ટકારે છે, જે વિચારી મુમુક્ષુ સ્વગુણ કરવાયોગ્ય છે. શ્રીકૃષ્ણાદિનો પ્રસંગ એમાં જે જે આવે છે તે ક્વચિત્ સંદેહનો હેતુ થાય એવો છે, તથાપિ તેમાં શ્રીકૃષ્ણનું સ્વરૂપ સમજ્યાફેર ગણી ઉપેક્ષિત રહેવા યોગ્ય છે. કેવળ હિતબુદ્ધિથી વાંચવા વિચારવામાં મુમુક્ષુનું પ્રયોજન હોય છે. (પૃ. ૩૯૨) શ્રીમદ્ ભાગવત્ (વ્યાસ ભગવાન) | | વ્યાસ ભગવાન વદે છે કે - इच्छाद्वेषविहीनेन सर्वत्र समचेतसा । भगवद्भक्तियुक्तेन प्राप्ता भागवती गति : || ઇચ્છા અને દ્વેષ વગર, સર્વ ઠેકાણે સમદ્રષ્ટિથી જોનાર એવા પુરુષો ભગવાનની ભક્તિથી યુક્ત થઈને ભાગવતી ગતિને પામ્યા, અર્થાત્ નિર્વાણ પામ્યા. (પૃ. ૨૨૮) ‘સત્યં પરં ઘીમષ્ટિ (એવું જે) પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ. (શ્રીમદ્ ભાગવત) (પૃ. ૩૦૭) ષદર્શનસમુચ્ચય || શ્રી “આચારાંગસૂત્ર'ના પહેલા અધ્યયન શસ્ત્રપરિજ્ઞામાં અને શ્રી ષડ્રદર્શનસમુચ્ચયમાં મનુષ્ય અને વનસ્પતિના ધર્મની તુલના કરી વનસ્પતિમાં આત્મા હોવાનું સિદ્ધ કરી બતાવ્યું છે, તે એવી રીતે કે બન્ને જન્મે છે, વધે છે, આહાર લે છે, પરમાણુ લે છે, મૂકે છે, મરે છે, ઈત્યાદિ. (પૃ. ૭૮૩) | મૂળ અખાયિક જીવોનું સ્વરૂપ ઘણું સૂક્ષ્મ હોવાથી વિશેષપણે સામાન્ય જ્ઞાને તેનો બોધ થવો કઠણ છે, તોપણ “ષદર્શનસમુચ્ચય' ગ્રંથ હાલ પ્રસિદ્ધ થયો છે, તેમાં ૧૪૧થી ૧૪૩ સુધીના પૃષ્ઠમાં તેનું સ્વરૂપ કિંઈક સમજાવ્યું છે, તે વિચારવાનું બને તો વિચારશો. (પૃ. ૫૧૦)

Loading...

Page Navigation
1 ... 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882