________________
સમય ને ઓળખે.
૧ કોઈ પણ ધર્મના અનુયાયીને અપનાવી પિતામાં મેળવવાની ઉદારતા, રાજસત્તા ઉપર પ્રભાવ, ૩ ઉપદેશકે અને સાહિત્યનો પ્રચાર.
કોઈ પણ સમાજની ઉન્નતિને ઇતિહાસ તપાસવામાં આવે, આ ત્રણ કારણો દ્વારા મુખ્યતયા તે તે સમાજની ઉન્નતિ થયેલી–પ્રચાર થયેલે જેવાશે. પ્રાચીન સમયમાંજ નહિ, આધુનિક સમયમાં પણ આ ત્રણ દ્વારા બીજી બીજી સમાજે વધી રહી છે.
આ ત્રણે સાધનો પૈકી આપણે કેટલાં સાધનો હસ્તગત કર્યા છે એને જરા ઉંડા ઉતરી વિચાર કરીએ.
સાથી પહેલાં બીજાઓને અપનાવવાની ઉદારતા. આ ઉદારતાથી તો આપણે લગભગ દૂરજ રહ્યા છીએ જેન સિવાયને બીજે માણસ એટલે મિથ્યાત્વી. અને એ મિથ્યાત્વી, એટલે એની સાથે સભ્યતાપૂર્વક વાત કરતાં પણ જાણે અભડાઈએ. આ આપણું સંકુચિતતાઓ–અનુદારતાએ તે આપણને ઘણું ઘણું આઘાત પહોંચાડ્યા છે. આપણું આ સંકુચિતતાએ ઘણા વિદ્વાનેને પણ આપણે દુશ્મન બનાવ્યા છે. “સમ્યક્ત્વ ” અને “મિથ્યાત્વ” કિંવા “આસ્તિક” અને
નાસ્તિક” ના વિવાદે તે ન કેવળ જેનસમાજનેજ, બલ્ક આખા ભારતવર્ષને પાયમાલ કર્યો છે. એ લાંબા ઈતિહાસમાં હું અત્યારે નથી ઉતરવા ઈચ્છતે. અત્યારે તે મારે એજ
૫૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com