________________
સમયને ઓળખો.
ઉપર ચઢી બેસી એ ગાડીઓ દેડાવતા એ મહાત્માઓ પાસે આવી એ બંડલે પટકાવવા લાગ્યા. ગઈકાલના વિરોધી એ મહાત્માઓ, આજે પિતે એ ક્રિયા કરી કરાવી રહ્યા છે. સમયને પ્રભાવ તે કેટલે !
આવી જ રીતે જૈન સાધુઓની પ્રાચીન માન્યતા કે સૂત્ર શ્રાવકેથી ન વંચાય તે માન્યતામાં પણ આજે કેટલું અંતર પડી ગયું છે! “ શ્રાવકેથી ન વંચાય અને શ્રાવકોને ન વંચાવાય ” એવી માન્યતા ધરાવનાર મહાત્માઓ સ્વયં શ્રાવકને સૂત્રે વંચાવવા લાગ્યા છે, અને એમ વંચાવવામાં પિતાનું ગેરવ–મહત્ત્વ સમજે છે. આ પણ સમયને પ્રભાવ નહી તે બીજુ શું ? શ્રાવકની વાત તો દૂર રહી, અજેન વિદ્વાન-યુરોપીયને વિગેરે સૂત્રોને ઉંડો અભ્યાસ કરે છે, અને તે સંબંધી આશ્ચર્યભરી શોધખોળ કરે છે. આ બધુ સમયના પ્રભાવે જ બન્યું છે. આવી જ રીતે જુએ ઉપદેશ પદ્ધતિ. ઉપદેશપદ્ધત્તિ
ઉપદેશપદ્ધતિમાં પણ સમયના પ્રભાવે ઘણું અંતર પડી ગયું છે. એક સમય એ હતો કે જ્યારે સાધુઓ ગ્રહસ્થોના પરિચયથી સાવ નિરાળા જ રહેતા. પિતાના જ્ઞાન–ધ્યાનમાં મસ્ત રહેતાં જગતના જીવનું કલ્યાણ ઈચ્છવા સાથે પોતાનું કલ્યાણ કેમ થાય? એવી શાંત પ્રવૃત્તિમાં મસ્ત રહેતા.
૨૩૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com