Book Title: Samayne Olkho Part 02
Author(s): Vidyavijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 233
________________ સમયને ઓળખો. માટે આપણે ગમે તેટલી ધમપછાડે કરીએ, છતાં સમય તે પોતાને પ્રભાવ નાખ્યા વિના રહેતો જ નથી. જો કે આને અર્થ એ નથી કે “જેટલું પ્રાચીન છે તે બધું ખરાબ જ છે, અને નવું બધું સારું છે. ” તેમ એમ પણ નથી, કે “નવું નઠારું છે અને જુનું સારું જ છે. અહીં કહેવાનું એ છે કે સમયના પ્રભાવ પ્રમાણે સંસારની પ્રત્યેક વસ્તુમાં પરિવર્તન થયાજ કરે છે. હવે એ પરિવર્તનમાં કે વિવેક જાળવ, એ મનુષ્યની બુદ્ધિ ઉપર આધાર રાખે છે. નવીનતામાં યદિ લાભ છે, ઉન્નતિ છે તો તેને આદર કર્યો જ છુટકે અને જે તેને આદર નથી કરતા, તે તેનું પરિણામ એ આવે છે કે તે તે કાર્યોને ભયંકર ધક્કો પહેચે છે. દાખલા તરીકે એક પ્રાચીન ક્રિયા આપણે કરતા આવતા હૈઈએ, પરંતુ તે કિયા આ સમયને બંધબેસતી ન હોય, અર્થાત્ એ ક્રિયામાં સમયાનુકૂળ ફેરફાર કરવાની જરૂર જણાતી હોય તો તે ફેરફાર કર્યો જ છુટકે. આપણે હઠાગ્રહી થઈ જે તે ક્રિયાને પકડી જ રહીએ તે તેથી સામાજિક દષ્ટિએ ભયંકર નુકશાન ઉઠાવવું પડે. પહેલાં કહેવામાં આવ્યું છે તેમ “સમયને પ્રભાવ દરેક વસ્તુ ઉપર પડ્યો છે અને પડી રહ્યો છે. જે કોઈ એમ કહે કે ચાલી આવતી ક્રિયામાં, રૂઢીમાં, રીતરિવાજમાં ફેરફાર નજ થાય, તે તેઓ ખરેખર ભૂલ કરે છે, બલ્ક સૂર્યના પ્રકાશમાં સાક્ષાત્ દેખાતી વસ્તુને પણ એક તૃણ સમાન ૨૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254