________________
સમયને ઓળખે.
ભળનારા આસાનીથી પોતાને વ્યવહાર ચલાવી શકે. જેના ધર્મમાં આવવા છતાં પણ જે આપણે તેમનાથી પરહેજ કરીએ, તો પછી કોણ જૈન ધર્મમાં દિલખુશથી રહી શકે? અને એ તો સ્પષ્ટ છે કે જેના આચાર વિચાર આપણા જેટલા જ શુદ્ધ હોય, જેની રહેણીકરણી આપણા જેવી જ હોય, અને જેનું ધર્માચરણ આપણા જેવું જ હોય, તો પછી તેની સાથે કે ઈપણ જાતને પરહેજ રાખવાનું કંઈ કારણ રહેતું નથી.
આ ઉદારતા ધર્મની વૃદ્ધિને માટે–સમાજની પ્રગતિને માટે અસાધારણ કારણ છે. આર્યસમાજ, ક્રિશ્ચિયન અને બીજાઓ, કે જેમણે પોતાના અનુયાયિઓ વધાર્યા છે, તેઓ આ ઉદારતાથી જ વધારે ફાવી શક્યા છે. એ હવે કેઈથી અજાણ્યું નથી. ખુદ જૈન ઇતિહાસ પણ આપણને બતાવી રહ્યો છે કે જૈન ધર્મમાં આવ્યા પછી એની સાથે ક્યારે પણ ભેદ રાખવામાં આવ્યું નથી. પરંતુ અફસની વાત તે એ છે કે અત્યારે તે બાપદાદાઓથી જેનધર્મ પાળતા આવેલા જેને પણ, ચિકકસ વાડાઓમાં રહી, એક બીજાની સાથે સંબંધ બાંધવાથી દૂર રહે છે. જેવી રીતે કે–ગયા અંકમાં સામાજિક બન્ધન ” વાળા લેખમાં બતાવવામાં આવ્યું છે. આમ છતાં પણ હવે સમય બદલાયો છે, અને જે ઉદારતા હેવાનું હું ઉપર કથન કરી ગયે છું, એ ઉદારતાની ઝાંખી જેનસમાજમાં ખરેખર આવતી દેખાય છે. જર્મનશ્રાવિકા બેન સુભદ્રાદેવી ( ડે. મિસ કોઝે. પી. એચ. ડી. )
૫૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com