Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ પડતી મૂકી, અત્યારે તેને વિશેષ ધીરજ મળે તેવી રીતે વાર્તાલાપ કરવા લાગ્યો. યુવાન પુરુષે જણવ્યું બહેન! વિવેકી મનુષ્યોએ સુખ, દુઃખમાં હર્ષ, વિષાદ ન કરવો સુદર્શના જોઈએ. વિપત્તિ આવી પડયા છતાં જે ધીરજથી સહજ કરે છે, વેભવ મળ્યા છતાં જેઓ ગર્વ - 105 કે મત્સર કરતાં નથી, અને પરને માથે કષ્ટ આવી પડતાં, શકત્યનુસાર તેને સહાય આપે છે તેવા મનુષ્યો જ મનુષ્યોની ગણતરીમાં છે, બાકી તો નામધારી મનુષ્યોને દુનિયામાં કયાં તે છે? કર્મના અચળ નિયમને લઈને ચંદ્ર પણ ખંડન, અસ્તમન અને ગ્રહણના દુઃખને પામે છે. તો પછી મનુષ્યને માથે વિપત્તિઓ આવી પડે તેમાં આશ્ચર્ય શાનું? ઈષ્ટવિયોગ, વધ, બંધન, વૈભવક્ષય, અપ્રીતિ સ્થાનભ્રંશ અને મરણાદિ ક કર્માધીન જીવે માટે આ દુનિયામાં સુલભ છે. બહેન ! ખેદ કરવાનું કારણ નથી અર્થાતુ ખેદ નહિ કર. જીવતો મનષ્ય સંખ્યાબંધ કલ્યાણને જોઈ શકે છે. ઉત્તમ જીવને માથે કષ્ટ આવી પડે છે તે અવસરે કાયર ન થવું તે જ તેની ઉત્તમતાની કસોટી છે. વિધિ (પૂર્વકર્મ) સુખીયાં જીવોને નડે છે અને દુખી જીવને પણ વિડંબના પમાડે છે, તે બાળ, વૃદ્ધને ગણતો નથી, તેમ રાજા કે રાંકને છે પણ મકતો નથી. આ નિર્દય વિધિ, મંત્ર, તંત્ર અને વિદ્યા આદિને ગાંઠતો નથી. તેમજ || નિરગી કે વ્યાધિવાળાને છોડતો પણ નથી, તે પછી શેક કરવાથી શું ફાયદો થવાને ? આ PP. Ac. Gunratrasuri MS. છે I 105 | Jun Gun Aaradhak