Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદરના ઉત્તમ મુનિઓ પણ જ્ઞાન સિવાય ક્યારે પણ ઉત્તમ સુખ પામી શક્તા નથી. સંવેગ પક્ષી છતાં જે જ્ઞાનવાન હોય તો જ દઢ સમ્યકત્વ પામી શકે છે. તીવ્ર તપશ્ચર્યા કરતાં અને સંયમ પાળવા છતાં, જ્ઞાન સિવાય સમ્યકત્વ મેળવી કે પામી શકાતું નથી. જિનંદ્ર ધર્મની દીક્ષા લઈને પણ જ્ઞાનના અભાવે, યતના, અયતનાને ના 37o | નહિ જાણનારા, પ્રવચનથી નિરપેક્ષ બની સંસાર-અટવીમાં પરિભ્રમણ કરે છે. વિવેક જ્ઞાન, સિવાય, અજ્ઞાની તીવ્ર તપશ્ચરણ કરવા છતાં આંધળાની માફક દોડીને સંસારપરિભ્રમણરૂપ ખાડામાં જઈ પડે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. અનેક ભવોએ પણ દુર્લભ જિતેંદ્ર દર્શન પામીને દેવ, મનુષ્ય અને નિર્વાણ સુખના પરમ કારણરૂપ જ્ઞાનપ્રાપ્તિ માટે પ્રયત્નવાનું થવું જોઈએ. કહ્યું છે કે नाणं मोहमहंधयारलहरीसंहारसूरुग्गमो। नाणंदिट्ट अदिइटघडणासंकप्पकप्पदुमो नाणं दुज्जयकम्मकुंजरघडापंचत्तपंचाणणो / नाणं जीवअजीववथ्थुविसरस्सालोयणे लोयणं // 1 // મેહરૂપ મહાનું અંધકારની લહરીઓ (પંક્તિઓ)ને સંહારનાશ કરવાને જ્ઞાન, સૂર્યોદય સરખું છે. દીઠેલી અને નહિ દીઠેલી ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ કરાવવામાં જ્ઞાન, સંકલ્પમાત્રથી ઈચ્છિત Jun Gun Aaradhako