Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના 33 भयवं च साहइ तथा सव्वोवि जीओ ममत्तदोसेण / बंधेइ मोहणीयं कम्मं तो भमइ भवममियं // 1 // सम्मत्तसंजुओ पुण जइ मुयइ ममत्तमखिलभावेसु / तो मुयइ जहन्नपए अंतमुहुत्तेण भवभावं // 2 // એ અવસરે ભગવાન કહેતા હતા કે-સર્વ છે મમત્વના દેષથી મેહનીય કર્મ બાંધે છે તેથી મહાન સંસારમાં પરિભ્રમણ કરે છે. પણ જો તે જ જીવો વસ્તુતત્વના ગ્રહણ ત્યાગરૂપ યથાવસ્થિતતત્વમાં પૂર્ણ શ્રદ્ધાની રાખી, સર્વ પદાથ ઉપરથી મમત્વનો ત્યાગ કરે તો ઓછામાં ઓછા અંતમહત્ત જેટલા સ્વ-૫ વખતમાં સંસારવાસથી મુક્ત થાય છે. ઈત્યાદિ દેવાદિ પર્ષદામાં ધર્મોપદેશ આપતા તે મહાપ્રભુનાં વચન સાંભળી મરૂદેવાજી જેમ વરસાદ વરસી રહ્યા પછી વનસ્પતીનાં ઘરો મોટાં મોટાં પાણીનાં બિંદુઓ મૂકે છે તેમ, હર્ષના આવેશમાં નેત્રમાંથી આંસુનાં બિઓ મૂકવા લાગ્યાં. ઉત્તમ ધ્યાન નથી જેમ કર્મ નિર્જરી જાય છે તેમ અશ્રુના વહેતા પ્રવાહથી તેમની આંખ આડે આવેલાં પળો નીકળી ગયાં. પડળો દૂર થતાં દ્રવ્ય, ભાવ બન્ને પ્રકારે નિર્મળ નેત્રવાળી મરૂદેવા માતા, ભરતે કહેલી સવે બીના પ્રત્યક્ષ જોવા લાગ્યાં. તે દેખતાં તેમના આનંદનો પાર ન રહ્યો. પુત્રપ્રેમ દૈવિક પ્રેમમાં બદલાઈ ગયું. ઋષભદેવજીને દશ્યમૂર્તિ પુત્ર I || Jun Gun Aaradhak RP. Ac. Gunratnasuri M.S.