Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના 457 II ચારિત્ર વિનાનું જ્ઞાન, શ્રદ્ધા વિના મુનિવેશનું ગ્રહણ અને સંયમ વિનાને તપ એ નિર્વાણ કાર્યમાં નિષ્ફળતા પામે છે. સદાચરણની મુખ્યતાવાળું જ્ઞાન, શ્રદ્ધાન સહિત મુનિવેશનું ગ્રહણ અને સંયમ સહિત કરાત તપ, આ ત્રણથી ભવને ક્ષય થાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ત્રણ રત્નોને એકીસાથે ધારણ કરનાર મનુષ્ય દુર્લભ છે. આ ત્રણે રત્નનું સાથે આરાધન કરનાર જીર્ણવૃષભની માફક, ક્રમે, મનુષ્ય, દેવ અને મોક્ષનાં સુખ પામે છે. જીર્ણવૃષભ : આ ભારતવર્ષમાં ક્ષેમકુશળના પ્રચુર કારણોથી ભરપૂર ક્ષેમપુરી નામની નગરી હતી, તે નગરીમાં ન્યાય અને વિનયાદિ ગુણોમાં પ્રવીણું ન દત્ત નામને શ્રેષ્ઠી રહેતો હતો. શિયલ આદિ ગુણોથી પતિને આનંદ આપનાર વસુનંદા નામની તેને પત્ની હતી. ધનદત્ત અને વસુદત્ત નામના તેમને બે પુત્રો હતા. જ્યેષ્ઠ પુત્ર ગુણવાન હતો, નાને પુત્ર વિદ્વાનોમાં માન પામવા ગ્ય હતો છતાં તેમાં માનપણાને કાંઈક અવગુણ હતો. વક્રસ્વભાવવાળો વામદેવ નામને વિપ્ર, તે શ્રેષ્ઠી-પુત્રને બાલમિત્ર હતો. તે શહેરમાં સમદ્રદત્ત નામને ધનાઢય શ્રેષ્ઠી રહેતો હતો. તેને ગુણવતી નામની ગુણવાન પુત્રી હતી. આ પુત્રીને વિવાહ યદત્ત શેઠના પુત્ર ધનદત્તની સાથે, ગુણુવતીના પિતાએ અનેક જન સમક્ષ Jun Gun Aaradhak ? | ૪પ૭ | P.P.Ad Gunratnasuri MS.