Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ જ એ અવસરે પિતાને પૂર્વભવને મિત્ર, ભરૂઅચ્ચ શહેરમાં અશ્વપણે ઉત્પન્ન થયેલો દિવ્ય જ્ઞાનથી તેમના દેખવામાં આવ્યું. તેનું આયુષ્ય અલ્પ જાણી, તેને પ્રતિબોધવાને સમય સુદર્શનાએ નિકટ જણાતાં તે કપાળદેવ એક રાત્રીમાં સાઠ જન ચાલી ભરૂચમાં આવ્યા. દેવોએ સમવસરણ 74 કેસર બનાવ્યું. મળેલી પર્ષદાની આગળ, સમવસરણમાં બેસી તે પ્રભુએ ધર્મદેશના આપવી શરૂ કરી. આ અવસરે તે પ્રભુથી પ્રતિબોધ પામેલા ત્રીસ હજાર સાધુઓ અને પચાસ હજાર સાધ્વીઓ તેમના શિષ્યવર્ગમાં હતા. મુનિસુવ્રતસ્વામી તીર્થકરને સમવસરેલા (આવ્યા) જાણી તે શહેરને જીતશત્રરાજા, પ્રભુને વંદન કરવા નિમિત્તે તે જ અશ્વ ઉપર બેસીને (જેને પ્રતિબોધ આપવા તે પ્રભુ પધાર્યા છે તે જ અશ્વ ઉપર બેસીને) આ. અશ્વથી ઉતરી, સચિત્ત વરતું-ત્યાગાદિ વિધિપૂર્વક સમવસરણમાં પ્રવેશ કરી, ત્રણ પ્રદક્ષિણા આપી, ભક્તિપૂર્વક વંદન કરી, ઉચિત સ્થળે ધર્મશ્રવણ કરવા નિમિત્તે રાજા બેઠે. એ અવસરે ચાલતા ધર્મોપદેશમાં તે મહાપ્રભુએ જણાવ્યું કે जो कारिज्जइ जिणहरं जिणाणं जियरागदोसमोहाणं // सो पावेइ अन्नभवे सुलहं धम्मवररयणं // 1 // રાગ, દ્વેષ, મહિને વિજય કરનાર જિનેશ્વરોનું જે મનુષ્ય જિનગૃહ (મંદિર) કરાવે | 7 | Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak T