Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ ખુદના 3. વિગેરે ભૂલભરેલી હતી. જીવ અવશ્ય છે જ. જેમ શેષ પદાર્થ પોતપોતાના સ્વરૂપે રહેલા છે તેમ જીવ, જીવના સ્વરૂપે રહેલો છે. તે ચેતના લક્ષણવાનું જીવ, અરૂપી હોવાથી જ્ઞાનદૃષ્ટિવાળાને પ્રત્યક્ષ છે. જ્ઞાનદષ્ટિ સિવાયના છો, જ્ઞાન, દર્શનાદિ ગુણોથી તે અમૂત્ત જીવને, જાણી શકે છે. ભાવ પ્રત્યય અને અનુમાનથી, છદ્મસ્થ છો તે જીવને જાણવાને સમર્થ થાય છે. જેમકે, હું છું, હું સુખી છું, હે દુ:ખી છું, આ અહ' પ્રત્યય હું એવી પ્રતીતિ દરેક આત્માને જીવના અસ્તિત્વ સંબંધમાં સ્વાનુભવ સિદ્ધ છે. ' મેં સાંભળ્યું. મેં દેખ્યું. મેં સૂયું. ખાધું. મેં સ્પર્યું. મેં સંભાયું. ઈત્યાદિ ભાવ પ્રત્યયો-પ્રતીતિઓ જેને થાય તે પોતે જ જીવ છે. શ્રવણ (કાન) આદિ ઇદ્રિો કાંઈ જાણકાર નથી કે તે જાણી શકે? જીવના જવા પછી પણ તે ઇંદ્રિ બની રહે છે, છતાં તે અવસરે તે અહં પ્રત્યય-હું છું વિગેરે કાંઈ પણ થતો નથી અથવા શરીરમાં જીવ વિદ્યમાનું હોય ત્યારે પણ જીવની ઉપયોગ વિનાની સ્થિતિમાં ઇંદ્રિયો .વિદ્યમાન છે છતાં, તેઓ કાંઈ સાંભળી કે દેખીને અહં પ્રત્યય કરી શકતી નથી. આથી ચોક્કસ નિર્ણય થાય છે કે, સાંભળવાનું કે દેખાવા વિગેરેનું જ્ઞાન જેને થાય છે તે જ્ઞાતા–જીવ આ ઇંદ્રિયો કરતાં કઈ જુદે જ છે. વળી ચૈતન્ય ભૂતોને ધર્મ નથી પણ જીવનો ધર્મ છે. કેમકે ભૂતો અવેદક છે. જ્ઞાનશક્તિ P.PAC Gunratnasuri MS { 443 | Jun Gun Aaradhak Trust