Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના છે 38 આત્મગુણોનું કે આત્મસુખનું ખરું ભાન થતાં આ ઇચ્છાઓના તંતુઓ તૂટી જાય છે. પૌદૂગલિક સુખ સુખપણે ભાસતું નથી. એટલે આત્માના અનંત સામર્થ્યને પ્રવાહ આજ- ર પર્યત જે નીચે (પુદ્ગલ તરફ) વહન થતો હતો તેને પાછો વાળી તે પ્રવાહ કેવળ આત્મભાવ તરફ જ વહન કરાવાય છે. આ ગુણ અનંતાનુબંધી કષાય જવાથી જ પ્રગટ થાય છે. વિશેષ કે એટલો છે કે-આવાં પરિણામ થવા પહેલા આવતા જન્મ માટે આયુષ્યનો બંધ નિકાચિત કર્યો હોય તો તે જન્મને માટે તે વિશેષ આગળ વધી શકતો નથી. આ પરિણામથી એકંદર ઘણે છે જ ફાયદો છે, પણ પૂર્વે કહ્યા મુજબ પૂર્ણ જ્ઞાન, તે આ જન્મમાં પામી શકતો નથી. તેમજ પાછો કદાચ મિથ્યાત્વ મોહનીયને પ્રબળ ઉદય થાય તો ફરી અનંતાનુબંધીની પ્રકૃતિઓ પણ પાછી બાંધે છે અને ઉદય પામે છે આમ થવાનું કારણ મિથ્યાત્વરૂપ બીજ હજી સત્તામાં કાયમ રહેલું છે તે જ છે. આગામી જન્મ માટેનું આયુષ્ય બાંધ્યું હોય અને પરિણામની વિશુદ્ધિથી તે કદાચ શ્રેણિ આરૂઢ થાય છે, તે સમ્યકત્વમોહનીય, મિશ્રમેહનીય અને મિથ્યાત્વમહનીય ત્રણેને ક્ષય કરે છે અને મરણ પામી દેવલોકમાં જાય છે. H39 સાતે પ્રકૃતિને ક્ષય કરનાર તે ત્રણ અથવા ચાર ભવથી વધારે સંસારમાં પરિભ્રમણ કરતો નથી. આવતા જન્મનું આયુષ્ય નહિ બાંધનાર અને સાત પ્રકૃતિને ક્ષય કરનાર શ્રેણિ આરૂઢ -- P.P.AC. Gunratnasun MS Jun Gun Aaradhak Trust