Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના 5 387 તે વખતમાં કલ્પવૃક્ષોમાંથી મળતે ખોરાક વિગેરે પાક બંધ થયો હતો. લોકે ભૂખે મરતા હતા. સહજસાજ પાક થતા તે બળવાન લોકો લઈ જતા અને નબળા દુઃખી થતા હ આ યુગલિકોના દુ:ખને ઋષભદેવજીએ અંત આણે. આસપાસમાં વૃક્ષે ઘસાવાથી અગ્નિ ઉત્પન્ન થયે. આ અગ્નિ પાસેથી કેવી રીતે કામ લેવું? અનાજ કેમ પેદા કરવું? અને પકાવવું વિગેરે ક્રિયાઓમાં, ઋષભદેવજીએ લોકોને માહિતગાર કર્યા. તે વખતના વિદ્યમાન લોકોમાં, જ્ઞાનબળે સર્વથી અધિક ઋષભદેવજીને જાણી, યુગલિકાએ તેમના પગના જમણા અંગૂઠા ઉપર પાણી રેડી, રાજ્યાભિષેક કરી પોતાના રાજાપણે સ્થાપન કર્યા. ઋષભદેવજીએ પોતાના બુદ્ધિબળથી નીતિને માર્ગ સ્થાપન કર્યો. ભૂખે મરતા અને દુઃખી થતાં લોકોને તો તે જાતના યોગ્ય ઉપાય બતાવી સુખી કર્યા, બહેન-ભાઈને આપસમાં થતો વિવાહ તેમણે બંધ કર્યો. ટૂંકમાં કહીએ તે આ ભારતભૂમિ ઉપરથી અજ્ઞાનતા દૂર કરવાને મજબૂત પાયે તેમણે નાંખ્યો. આ વ્યવહારનીતિ સ્થાપવામાં અને તેને અમલમાં મૂકાવવાના પ્રયાસમાં તેમને ઘણે વખત વ્યતીત કરે પડયો. આ અરસામાં તેમને બે સ્ત્રીઓથી સે પુત્ર અને બે પુત્રીઓની સંતતિ થઈ હતી. તે P.P. Ac. Gunratnasuri M.S. i387 Jun Gun Aaradhak Trust