Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શના 1 147 (નરવાહન પાલખીમાં) આવી બેઠી. રાજ કુમારે, પ્રધાન, વિલાસિનીઓ, સખીઓ અને નગરના લોકો સર્વે સદનાને બંદર ઉપર વળાવવા માટે તેની પાછળ ચાલવા લાગ્યા. વાજીંત્રના શબ્દોથી દિગંતરને પૂરતો સર્વ પરિવાર સહિત રાજા વેલાતર (બંદર) ઉપર આવી પહોંચ્યો. ઉત્તમ સ્થળે ડેરા-તંબુ તાણવામાં આવ્યા હતા, તેમાં થોડો વખત રાજા પ્રમુખે વિશ્રાંતિ લીધી. તેટલામાં નિર્ધામકોએ આવી રાજાને વિનંતિ કરી કે મહારાજ ! આપની આજ્ઞા મુજબ સર્વ વહાણો તૈયાર કરી રાખ્યાં છે. - આ અરસામાં ઋષભદત્ત શ્રાવક (સાર્થવાહ) પણ પોતાને માલ, કરીયાણું પ્રમુખ વેચી નાખી સર્વ તૈયારી કરી રાજાની પાસે આવી પહોંચ્યું. રાજાએ ઋષભદત્તના કરિયાણાં સંબંધી માલની સર્વ જગાત (દાણ) માફ કરી, સામું ભેટ તરીકે કેટલુંક ધન આપ્યું. તેમજ ઉત્તમ રત્ન, સેનું, કપૂર, વસ્ત્ર અને ભાવના ચંદન પ્રમુખ આપી ઘણે સત્કાર કરવા પૂર્વક પિતાની પુત્રી સુદર્શનાને તેના હાથમાં સોંપી. રાજાએ જણાવ્યું-સાર્થવાહ ! કઈ પણ રીતે મારી પુત્રીને દુ:ખ ન લાગે, સુખ–શાંતિએ ભરૂઅર જઈ પહોંચે, અને ત્યાં જઈ ધર્મકાર્યમાં સાવધાન થાય તે સર્વ કાર્ય તમારે પિતે કરવાનું છે અર્થાત્ તેમાં તમારે પૂરતી મદદ આપવાની છે. સાર્થવાહે રાજાને ઉપકાર માનતાં નમ્રતાથી જણાવ્યું મહારાજા ! આપની પુત્રી હારી Jun Gun Aaradhak Trust લાપી. રાજા તબ આપી છે નાગ, સુખ-શાં II 147 | PP Ac Gunratnasuri MS