Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust
View full book text
________________ સુદર્શન 12o | 11 120 . આ નેપુર ઘણું જ ઉત્તમ છે, તે મને પહેરવા જોઈએ, ઈત્યાદિ તે ઉપરના મમત્વને લઈને તેણીએ તે છુપાવી દીધું. અને તે લઈને તરત જ ઉતાવળી ઉતાવળી ગગનવલ્લભપુરમાં આવી પહોંચો. અંત અવસ્થામાં આત્તધ્યાને મરણ પામી તે વિજયા વિદ્યાધરી ભરૂઅચ્ચ નગરના ઉદ્યાનમાં આવેલા સુઘટ્ટ છાયાવાળા વડવૃક્ષ ઉપર એક સમળીપણે ઉત્પન્ન થઈ. કહ્યું છે કે : अट्टेण तिरिय जोणी रोदझाणेण गम्मए नरयं / धम्मेण देवलोगं सुक्कझाणेण निव्वाणं // 1 // છે આર્તધ્યાન કરવાથી તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થાય છે, રૌદ્રધ્યાન કરવાથી નરકમાં જાય છે, ધર્મધ્યાન કરવા વડે દેવલોકમાં જાય છે અને શુકલધ્યાન કરવા વડે નિર્વાણ પામે છે. સુદશના ! તે વિજયા વિદ્યાધરીના ભવમાં જે સર્ષ માર્યો હતો તે ભરૂચમાં ફેછપણે ઉત્પન્ન થયો હતો. તે નિરપરાધી સપને માર્યો હતો, તે કર્મના ઉદયથી સમળીના ભાવમાં તું નિરપરાધી હતી છતાં (પૂર્વકર્મના નિમિત્તથી) તેણે તને મારી નાંખી હતી. જિનેશ્વર ભગવાનની પૂજા દેખી તારું શરીર પુલકિત (વિકસિત યા પ્રકૃદ્વિત) થયું હતું તેના પ્રભાવથી આ જન્મમાં તને બાધિલાભ ઘણી થોડી મહેનતે પ્રાપ્ત થયું છે. વિદ્યાધરીના ભવમાં, શ્રમણીની શુદ્ધ આહારપાણી પ્રમુખથી તે વૈયાવૃત્ય (ભક્તિ–સેવા) 22 Gunratnasuri MS. Jun Gun Aaradhak Trusm