________________
અધ્યાત્મસાર ભાવાર્થ :
યુવાન પુરુષને યુવાન સ્ત્રીના હોઠના ચુંબનથી જે ક્ષણિક સુખ થાય છે, તે યોગીઓને અધ્યાત્મશાસ્ત્રનાં અધ્યયન કરવાને કારણે થયેલા સુખરૂપી સમુદ્રની આગળ બિંદુ જેટલું છે.
અહીં વિશેષ એ છે કે સંસારી જીવોને સુખ બાહ્ય પદાર્થોથી થાય છે તેવી પ્રતીતિ હોય છે, અને તેથી જ સ્ત્રી આદિ પદાર્થોથી ક્ષણિક સુખનો તેઓ અનુભવ કરે છે. પરંતુ તે સુખ સ્ત્રી આદિના આત્મામાંથી કે શરીરમાંથી નીકળીને પોતાને મળતું નથી, પરંતુ પોતાના આત્મામાં તેવા પ્રકારના વિકારી ભાવો છે, તેથી સ્ત્રી આદિને જોઈને વિકારો ઉત્પન્ન થાય છે, અને તેને કારણે તે-તે પ્રકારની શ્રમરૂપ ક્રિયા તે કરે છે; અને તે ક્રિયાથી તેના વિકાર શમવાને કારણે ક્ષણિક આભિમાનિક સુખ તેને થાય છે. તે જ રીતે યોગીપુરુષોને શાસ્ત્રનું પર્યાલોચને કરવાથી કે શાસ્ત્રાનુસારી ક્રિયા કરવાથી ઉપશમભાવનું જે સુખ થાય છે, તે અનેક પ્રકારના ભાવ રોગોના શમનરૂપ હોવાથી સમુદ્ર જેવું છે; તેની આગળ સંસારનું ઉત્કૃષ્ટ સુખ પણ બિંદુ જેવું છે. I૧-લી
अध्यात्मशास्त्रसम्भूत-सन्तोषसुखशालिनः ।
गणयन्ति न राजानं, न श्रीदं नापि वासवम् ।।१०।। અન્વયાર્થ :
વાધ્યાત્મશાસભ્ભતસન્તોષસુત્રશનિન: અધ્યાત્મશાસ્ત્રથી ઉત્પન્ન થયેલા સંતોષના સુખથી શોભતા (એવા મુનિઓ) ૨નાનં ૧, શ્રીજું ન, વાસંવા ન, સાત્તિ રાજાને ગણતા નથી, કુબેરને ગણતા નથી (અને) ઈન્દ્રને પણ ગણતા નથી. II૧-૧૦ના શ્લોકાર્થ :
અધ્યાત્મશાસ્ત્રથી ઉત્પન્ન થયેલા સંતોષના સુખથી શોભતા એવા મુનિઓ રાજાને ગણતા નથી, કુબેરને ગણતા નથી અને ઈન્દ્રને પણ ગણતા નથી. ll૧-૧ના ભાવાર્થ :
અધ્યાત્મશાસ્ત્રના સમ્યગુભાવનથી યોગીને અંતરંગચિત્તની સ્વસ્થતારૂપ