________________
અધ્યાત્મમાહાભ્યાધિકાર અન્વયાર્થ –
યથા જેમ મોનિનાં ભોગીઓને રસતમાં મમિનીત સંગીતમય ભામિની સ્ત્રીનું ગીત (પ્રીતિ માટે થાય છે, તેમ વધ્યાત્મરસપ્રેશનં પડ્યું અધ્યાત્મરસથી ભરપૂર એવું પદ્ય યોરિનાં યોગીઓને પ્રત પ્રીતિ માટે થાય છે. ૧-૮ શ્લોકાર્ચ -
જેમ ભોગીઓને સ્ત્રીનું સંગીતમય ગીત પ્રીતિ માટે થાય છે, તેમ અધ્યાત્મરસથી ભરપૂર એવું પદ્ય યોગીઓને પ્રીતિ માટે થાય છે. ll૧-૮ ભાવાર્થ :
જેમ સંગીતની શોખીન વ્યક્તિ સંગીતથી યુક્ત સ્ત્રીનું ગીત અત્યંત પ્રીતિપૂર્વક સાંભળે છે, તેમ જે મહાત્માને આ સંસારનું સ્વરૂપ સારી રીતે જણાયું છે અને તેના કારણે જ મોક્ષ મેળવવાની જેને અત્યંત ઇચ્છા છે, અને વળી અધ્યાત્મ મોક્ષપ્રાપ્તિનો ઉપાય છે તેમ પણ જે જાણે છે, તેવા મહાત્માને અધ્યાત્મના રસથી ભરપૂર એવાં પદો સાંભળતાં જ અત્યંત આનંદ ઉત્પન્ન થાય છે, અને જેમ જેમ તે પદોને સાંભળે છે, વિચારે છે તેમ તેમ તેમને અધ્યાત્મમાર્ગ સ્પષ્ટ-સ્પષ્ટતર દેખાય છે. I૧-૮ાા
कान्ताधरसुधास्वादा-यूनां यज्जायते सुखम् ।
बिन्दुः पार्श्वे तदध्यात्म-शास्त्रास्वादसुखोदधेः ।।९।। અન્વયાર્થ :
રાત્તાધરસુધારવાદાત્ સ્ત્રીના હોઠના (ચુંબનથી થતા) અમૃતના આસ્વાદથી યૂનાં ટું સુત્ર યુવાનોને જે સુખ ગાયતે ઉત્પન્ન થાય છે, તધ્યાત્મશાસ્ત્રવિદ્રસુઘેઃ પાર્થે વિવુ તે સુખ અધ્યાત્મશાસ્ત્રના આસ્વાદથી થતા સુખના સમુદ્રની પાસે બિન્દુ (તુલ્ય) છે. I૧-૯ll શ્લોકાર્ચ -
સ્ત્રીના હોઠના ચુંબનથી થતા અમૃતના આસ્વાદથી યુવાનોને જે સુખ ઉત્પન્ન થાય છે, તે અધ્યાત્મશાસ્ત્રના આસ્વાદથી થતા સુખના સમુદ્રની પાસે બિન્દુ તુલ્ય છે. ll૧-લા